News Continuous Bureau | Mumbai
Maharashtra Politics : હાલ મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે. રવિવારે અજિત પવારના ડેપ્યૂટી CM બન્યા પછી મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલની સ્થિતિ જોવા મળી રહી છે. હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) એ બળવાખોર ધારાસભ્યો સામે કાર્યવાહી કરીને તેમને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. એનસીપીના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ જયંત પાટીલે આ ધારાસભ્યોને બરતરફ કરતી વખતે કહ્યું કે પાર્ટીના પ્રતીકનો ઉપયોગ કરવા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ નિર્ણયને એનસીપી ચીફ શરદ પવારનું સમર્થન
જયંત પાટીલના આ નિર્ણયને એનસીપી ચીફ શરદ પવારનું સમર્થન મળ્યું છે. શરદ પવારે કહ્યું કે અમે તેમના નિર્ણયનું સમર્થન કરીશું. અમે નવું સંગઠન બનાવીશું. તેમણે કહ્યું, “કોણ ગયું અને કોના માટે ગયું તેની મને ચિંતા નથી કારણ કે હવે બે-ત્રણ વાર એવું બન્યું છે. રાજ્યમાં અમારું સંગઠન મજબૂત છે.”
અજિત પવારના શબ્દોનું હવે કોઈ મહત્વ નથી
શરદ પવારે કહ્યું, “એકવાર હું વિદેશ ગયો હતો ત્યારે ઘણા લોકોએ પાર્ટી છોડી દીધી હતી અને મને કોઈ ચિંતા નહોતી. અજિત પવારનો નિર્ણય તેમનો અંગત નિર્ણય છે. તેમની વાતનું હવે કોઈ મહત્વ નથી.”
અજિત પવારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા
આ સમાચાર પણ વાંચો: Anupama : શું બાપુજીએ પણ છોડી દીધી સિરિયલ અનુપમા? જાણો કેમ અરવિંદ વૈદ્ય એક મહિનાથી શો માં જોવા નથી મળ્યા
વાસ્તવમાં, રવિવારે (2 જુલાઈ) મહારાષ્ટ્રના રાજકારણમાં એક મોટો વિકાસ જોવા મળ્યો. રાજકીય નેતા અજિત પવારે NCP સામે બળવો કર્યો અને મહારાષ્ટ્રમાં ભાજપ-શિંદે ગઠબંધન સરકાર સાથે હાથ મિલાવ્યા. તેમણે આગલા દિવસે નાયબ મુખ્યમંત્રી પદના શપથ પણ લીધા હતા. તેમની સાથે અન્ય આઠ ધારાસભ્યોએ પણ મંત્રી તરીકે શપથ લીધા હતા.
અજીત સાથે અન્ય કયા નેતાઓએ લીધા શપથ?
અજિત પવારની સાથે જે ધારાસભ્યોએ શપથ લીધા તેમાં છગન ભુજબળ, દિલીપ વળસે પાટીલ, હસન મુશ્રીફ, ધનંજય મુંડે, અદિતિ તટકરે, ધર્મરાવ આત્રામ, અનિલ પાટીલ અને સંજય બંસોડેનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, અજિત પવારે NCP પર પણ દાવો કર્યો હતો અને કહ્યું હતું કે અમે આગામી તમામ ચૂંટણી NCPના નામે જ લડીશું.