Site icon News Continuous Bureau | Mumbai

 Maharashtra Politics:મહાયુતિની પ્રેસ કોન્ફરન્સ; શિંદે ના નિવેદનથી હાસ્ય રેલાયું- કહ્યું દાદાને સવાર-સાંજ શપથ લેવાનો અનુભવ.., જુઓ વિડીયો..

 Maharashtra Politics:રાજ્યના આગામી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ હશે. ભાજપના નિરીક્ષકોએ ધારાસભ્ય જૂથના નેતાના પદ માટે ફડણવીસના નામની જાહેરાત કરી હતી. જે બાદ ફડણવીસ અજિત પવાર, એકનાથ શિંદે સાથે રાજભવન પહોંચ્યા હતા. રાજ્યપાલને મળ્યા બાદ તેમણે સરકાર સ્થાપવાનો દાવો કર્યો હતો. જે બાદ ત્રણેએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

News Continuous Bureau | Mumbai

Maharashtra Politics:મહારાષ્ટ્રમાં રાજકીય ડ્રામા સમાપ્ત થઈ ગયો છે અને મહાયુતિ ગઠબંધન સરકારની રચનાનો માર્ગ સાફ થઈ ગયો છે. દેવેન્દ્ર ફડણવીસ 5 ડિસેમ્બરે સાંજે 5:30 વાગ્યે મુખ્યમંત્રી પદના શપથ લેશે. મહાયુતિએ રાજ્યપાલને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો કર્યો, જેમાં શિવસેના પ્રમુખ એકનાથ શિંદે, એનસીપી વડા અજિત પવાર અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ સહિત ઘણા વરિષ્ઠ નેતાઓ હાજર હતા. મહાયુતિની પ્રેસ કોન્ફરન્સમાં સરકાર રચવા અંગેના તમામ મુદ્દાઓ ઉકેલાઈ ગયા. પરંતુ ડેપ્યુટી સીએમ અંગે હજુ કંઈ નક્કી થયું નથી. આવી સ્થિતિમાં જયારે મહાયુતિની પ્રેસ કોન્ફરન્સમાં ડેપ્યુટી સીએમ પર સવાલ પૂછવામાં આવ્યા ત્યારે હાસ્ય ફેલાઈ ગયું.

Join Our WhatsApp Channel

Maharashtra Politics: ડેપ્યુટી સીએમ પર સવાલ, રમૂજી વાતાવરણ છવાઈ ગયું

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનો દાવો કર્યા બાદ મહાયુતિએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. એકનાથ શિંદેએ અગાઉની મહાયુતિ સરકારની યોજનાઓનો ઉલ્લેખ કરતાં જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે પીએમ મોદી, અમિત શાહ અને જેપી નડ્ડાનો પણ આભાર માન્યો. જ્યારે ડેપ્યુટી સીએમ પદને લઈને સવાલો પૂછવામાં આવ્યા ત્યારે વાતાવરણ હળવું અને રમૂજી બની ગયું હતું. આ પ્રશ્નના જવાબમાં એકનાથ શિંદેએ કહ્યું કે ડેપ્યુટી સીએમ પદ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે સાંજ સુધીમાં સ્પષ્ટ થઈ જશે. ત્યારે તેમની બાજુમાં બેઠેલા અજિત પવારે કટાક્ષ કર્યો, “હું તેમના (શિંદે) વિશે જાણતો નથી, પરંતુ હું ડેપ્યુટી સીએમ તરીકે શપથ લઈ રહ્યો છું.” અજિત પવારે આટલું કહેતાં જ ત્યાં હાજર દરેક લોકો હસવા લાગ્યા. ખુદ એકનાથ શિંદે પણ હસવાનું રોકી શક્યા નહીં.

આ સમાચાર પણ વાંચો:  Maharashtra Govt Formation : મહાયુતિના નેતાઓ પહોંચ્યા રાજભવન, રાજ્યપાલને મળી સરકાર બનાવવાનો કર્યો દાવો;  આવતીકાલે શપથ-ગ્રહણ સમારંભ

Maharashtra Politics: શિંદેનો જવાબ-દાદાને બંને સમયે શપથ લેવાનો અનુભવ

હાસ્ય અને રમુજી વાતાવરણમાં એકનાથ શિંદેએ પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું, “દાદા (અજિત પવાર)ને સવારે અને સાંજે બંને સમયે શપથ લેવાનો અનુભવ છે.” આ સાંભળીને આખી પ્રેસ કોન્ફરન્સમાં ફરી એકવાર હાસ્ય ગુંજી ઉઠ્યું. શિંદેનું આ નિવેદન અગાઉની રાજકીય ઘટનાનો સંદર્ભ છે, જ્યારે 2019 માં, અજિત પવારે વહેલી સવારે દેવેન્દ્ર ફડણવીસ સાથે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા. પરંતુ તે જ સાંજે તેઓ મહાવિકાસ અઘાડીમાં જોડાયા અને સરકાર ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં હતી.

મહાયુતિ સરકારના શપથ ગ્રહણ સમારોહને ભવ્ય બનાવવા માટે સંપૂર્ણ તૈયારીઓ ચાલી રહી છે. મુંબઈના આઝાદ મેદાનમાં યોજાનાર આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક વરિષ્ઠ નેતાઓ ભાગ લેશે. ભાજપે પોતાના 40,000 કાર્યકરો માટે ખાસ વ્યવસ્થા કરી છે. સુરક્ષા માટે 4,000થી વધુ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Monsoon Delay in Maharashtra ચોમાસાની રાહ જોતા મહારાષ્ટ્રની જનતા માટે મુશ્કેલી, હજુ પાંચ દિવસ ગરમીનો માર.
Kalyan Abandoned Newborn કલ્યાણમાં કાળજું કંપાવતી ઘટના કચરાપેટીમાંથી મળી આવી ૬ દિવસની માસૂમ નવજાત બાળકી, પરિસરમાં ભારે અરેરાટી
Indian Street Food in Tokyo જાપાનમાં ગુંજ્યું પટનાના ‘જગ્ગુ ઢાબા’નું નામ, ટોક્યોમાં ભારતીય સ્ટ્રીટ ફૂડનો જાદુ.
Maharashtra Politics NDA Operation મહારાષ્ટ્રમાં ફરી મોટા રાજકીય ભૂકંપના એંધાણ! ઉદ્ધવ ઠાકરેની ચિંતા વધશે, NDA રચી રહ્યું છે નવી વ્યુહરચના
Exit mobile version