Maharashtra politics : મહારાષ્ટ્રમાં હવે ક્યાં ફસાયો પેચ? અમિત શાહની દલીલો બાદ પણ એકનાથ શિંદે ન થયા સહમત..; મહાયુતિ કેવી રીતે ઉકેલશે મડાગાંઠ..  

 Maharashtra politics : મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને લઈને હજુ પણ સસ્પેન્સ યથાવત છે. જોકે હવે મુખ્યમંત્રી પદ કોને મળશે તેનું ચિત્ર ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહ્યું છે. બુધવારે એકનાથ શિંદેના નિવેદન પરથી એ વાત લગભગ નિશ્ચિત છે કે સીએમ બીજેપીનો જ હશે. હવે માત્ર નામ પર મહોર મારવાનું બાકી છે. 

by kalpana Verat
Maharashtra politics No decision yet after Mahayuti leaders’ meeting with Amit Shah

News Continuous Bureau | Mumbai

Maharashtra politics : મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો આવ્યાને 6 દિવસ થઇ ગયા છે. પરંતુ મહાયુતિ ગઠબંધનમાં મુખ્યમંત્રી કોણ બનશે? આ પ્રશ્નનો જવાબ હજુ સુધી મળ્યો નથી. પ્રથમ ત્રણ દિવસના મૌન પછી, એકનાથ શિંદે મીડિયાની સામે આવ્યા અને મોદી-શાહની પ્રશંસાના ફૂલો બાંધ્યા. કહ્યું તેમનાથી શ્રેષ્ઠ કોઈ નથી, મને સીએમ બનાવ્યો. જ્યારે હું એકલો હતો ત્યારે તેઓએ મને ટેકો આપ્યો. શિંદેના આ શબ્દો પછી એવું લાગતું હતું કે તેમણે શરણાગતિ સ્વીકારી લીધી છે, પરંતુ વાર્તા અલગ છે. ગુરુવારે સાંજથી બધાને અપેક્ષા હતી કે મહારાષ્ટ્રના સીએમને લઈને આજે કોઈ નિર્ણય લેવામાં આવશે, પરંતુ હજુ સુધી પણ એ સ્પષ્ટ થઈ શક્યું ન હતું કે રાજ્યની બાગડોર કોણ સંભાળશે?

Maharashtra politics : દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના આગામી સીએમ બનશે?

મહત્વનું છે કે ગુરુવારે સાંજે દિલ્હીમાં અમિત શાહના નિવાસસ્થાને ત્રણ કલાક સુધી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના આગામી સીએમ હશે. બીજેપીએ ફરી એકવાર શિંદેને ડેપ્યુટી સીએમ બનાવવાની ચર્ચા કરી છે. અમિત શાહે તેમને સમજાવ્યું કે ઘણી વખત દિગ્ગજ નેતાઓએ વરિષ્ઠ હોદ્દા સંભાળ્યા પછી પણ નાના હોદ્દાઓની જવાબદારી લીધી, પરંતુ આ દલીલો પણ શિંદે પર બિનઅસરકારક રહી. ભાજપના પ્રસ્તાવ પર શિવસેનાએ નવી દલીલો આપી છે.

Maharashtra politics : શિવસેનાએ આ દલીલ આપી હતી

મીડિયા રિપોર્ટ મુજબ શિવસેનાએ ભાજપને કહ્યું કે દેવેન્દ્ર ફડણવીસ બ્રાહ્મણ છે. બે મરાઠા નેતાઓ અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસને તેમની નીચે ડેપ્યુટી તરીકે રાખવા એ રાજકીય ભૂલ હોઈ શકે છે. મરાઠા મતદારોને આ ગમશે નહીં. શિવસેનાના નેતા સંજય શિરસાટે કહ્યું છે કે શિંદે ક્યારેય નાયબ પદ સ્વીકારશે નહીં.  અહેવાલ છે કે  બીજેપી કોઈપણ કિંમતે શિંદેને ગુમાવવા માંગતી નથી. કેન્દ્રમાં મોદી સરકાર જાળવી રાખવા માટે શિંદે ભાજપ માટે ઓક્સિજન સમાન છે. જો કે શિંદેના સમર્થન પાછું ખેંચવાથી ભાજપને બહુ ફરક નહીં પડે, પરંતુ નીતિશ કુમારની પલટુ પોલિટિક્સને કારણે ભાજપ શિંદેને પોતાની સાથે રાખવા માંગે છે.

આ સમાચાર પણ વાંચો :  Maharashtra CM news : મહારાષ્ટ્રમાં CM અને સરકાર પર સસ્પેન્સ વધ્યું, મહાયુતિની બેઠક અચાનક થઇ રદ્દ; ચર્ચાનું બજાર ગરમ…

Maharashtra politics : મંત્રી પદ મંજૂર, પણ ડેપ્યુટી સીએમ નહી

ભાજપ દરેક કિંમતે શિંદેને મનાવવાનો પ્રયાસ કરી રહી છે. સીએમ પદ છોડવાના બદલામાં શિંદે ભાજપ પાસેથી ગૃહ મંત્રાલય ઈચ્છે છે. આ સિવાય શિંદે તેમની પાર્ટી પાસેથી વિધાન પરિષદના અધ્યક્ષનું પદ ઈચ્છે છે. શિવસેનાના નેતાઓનું માનીએ તો શિંદે મહારાષ્ટ્રની નવી સરકારમાં મંત્રી બની શકે છે, પરંતુ ડેપ્યુટી સીએમ નહીં.

Maharashtra politics : માત્ર ભાજપ પાસે 132 બેઠકો

મહારાષ્ટ્રમાં મહાયુતિને ભવ્ય જીત મળી છે. 288 સભ્યોની વિધાનસભામાં તેની પાસે 232 બેઠકો છે. એકલા ભાજપ પાસે 132 બેઠકો છે. શિવસેના પાસે 57 અને અજિત પવારની NCP પાસે 42 ધારાસભ્યો છે. એકનાથ શિંદે સીએમની ખુરશી ભાજપને આપવા તૈયાર છે. જો કે, તે તેના બદલે મોટો સોદો ઇચ્છે છે. તેમની નજર ગૃહ મંત્રાલય પર છે. જો કે, એકનાથ શિંદે સરકારમાં સામેલ થશે કે નહીં તે હજુ સ્પષ્ટ થયું નથી. સૂત્રોનું કહેવું છે કે સીએમ પદ પરથી હટી ગયા બાદ તેઓ સંભવિત દેવેન્દ્ર ફડણવીસ સરકારમાં ડેપ્યુટી સીએમ બનવા માંગતા નથી.

 

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More