Site icon

Maharashtra Politics: મહારાષ્ટ્રમાં મહાયુતિની સીટ વહેંચણીનો વિવાદ ઉકેલાઈ ગયોઃ સુત્રો…જાણો આટલી સીટો મળશે શિંદે જુથને અને અજિત પવાર જુથને.

Maharashtra Politics: જો કે, આ વર્ષે પણ ભાજપ મહારાષ્ટ્રમાં 45 બેઠકો જીતવા માટે મક્કમ છે. રાજ્યમાં હાલ ભાજપ, શિવસેના એકનાથ શિંદે જૂથ અને NCP અજિત પવાર જૂથની મહાગઠબંધન સરકાર હેઠળ છે.

Maharashtra Politics The dispute over seat sharing of the Mahayuti in Maharashtra has been resolved Sources...Know that Shinde team and Ajit Pawar team will get so many seats..

Maharashtra Politics The dispute over seat sharing of the Mahayuti in Maharashtra has been resolved Sources...Know that Shinde team and Ajit Pawar team will get so many seats..

News Continuous Bureau | Mumbai 

Maharashtra Politics: લોકસભાની ચૂંટણી નજીક છે અને તમામ રાજકીય પક્ષો જોરશોરથી તૈયારી કરી રહ્યા છે. મહારાષ્ટ્રમાં મહાયુતિ ( Mahayuti )  અને મહાવિકાસ અઘાડી વચ્ચે ચૂંટણી થવા જઈ રહી છે. સૂત્રોએ દ્વારા મળતી માહિતી મુજબ, એક તરફ મહાવિકાસ અઘાડીમાં સીટ ફાળવણીને લઈને લાંબી ચર્ચાઓ ચાલી રહી છે. તો બીજી તરફ મહાયુતિની સીટ ફાળવણીનો મામલો માત્ર 30 મિનિટમાં જ ઉકેલાઈ ગયો છે. 

Join Our WhatsApp Community

મહારાષ્ટ્રમાં કુલ 48 લોકસભા બેઠકો ( Lok Sabha seats ) છે અને તેમાંથી 41 બેઠકો 2019ની ( Lok Sabha elections ) ચૂંટણીમાં ગઠબંધન દ્વારા જીતવામાં આવી હતી. જેમાં ભાજપ 23 અને શિવસેના 18 સીટો જીતવામાં સફળ રહી હતી. આ ઉપરાંત એનસીપીને ( NCP )  4 અને કોંગ્રેસ અને અપક્ષને 1-1 બેઠક મળી હતી.

જો કે, આ વર્ષે પણ ભાજપ ( BJP ) મહારાષ્ટ્રમાં 45 બેઠકો જીતવા માટે મક્કમ છે. રાજ્યમાં હાલ ભાજપ, શિવસેના એકનાથ શિંદે જૂથ ( Shiv sena eknath shinde group ) અને NCP અજિત પવાર જૂથની મહાગઠબંધન સરકાર હેઠળ છે. ત્રણેય પક્ષો એકસાથે આવતાં જ લોકસભામાં બેઠકોની ફાળવણીને લઈને અણબનાવ થયો હતો.

 શિંદે જૂથને 12 બેઠકો મળશે, જ્યારે અજિત પવાર જૂથને 6 બેઠકો મળશે.

જો કે, એવા અહેવાલ છે કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે માત્ર 30 મિનિટમાં આ મુદ્દાને ઉકેલી લીધો છે. અમિત શાહ (Amit Shah ) હાલ મહારાષ્ટ્રના પ્રવાસે છે અને મંગળવારે (તા. 5) તેમણે છત્રપતિ સંભાજીનગરમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત કરવા માટે રેલી યોજી હતી. આ બેઠક બાદ અમિત શાહે મુંબઈ મહાયુતિના નેતાઓ સાથે બેઠક પણ યોજી હતી.

આ સમાચાર પણ વાંચો : Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીની તારીખો કેવી રીતે નક્કી કરવામાં આવે છે? કયા મુદ્દાઓ હોય છે મહત્ત્વપૂર્ણ.

શિવસેનાના નેતા અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, એનસીપીના નેતા અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે મંગળવારે મોડી રાત સુધી ચાલુ રહેલી બેઠકમાં હાજરી આપી હતી. અમિત શાહે ભાજપ અને મહાગઠબંધનમાં સામેલ અન્ય પક્ષોને બેઠકમાં જિદ્દી ન બનતા, વ્યવહારુ રીતે ઉકેલ શોધવાની સલાહ આપી હતી.

તે જ સમયે, સૂત્રોએ માહિતી આપી કે અમિત શાહે મહાગઠબંધનના નેતાઓને કહ્યું કે ભાજપ લોકસભાની 30 બેઠકો પર ચૂંટણી લડશે અને શિંદે જૂથને 12 બેઠકો મળશે, જ્યારે અજિત પવાર જૂથને 6 બેઠકો મળશે. અહેવાલ છે કે 400 ના લક્ષ્ય રાખીને કામ શરૂ કરવાની પણ અમિત શાહે સલાહ આપી છે.

Vanahar Mahotsav: આવો અને માણો વનઆહારની મજા: સ્વતંત્ર્યવીર સાવરકર રાષ્ટ્રીય સ્મારકમાં 22 અને 23 નવેમ્બરે યોજાશે ‘વનઆહાર મહોત્સવ’
Donald Trump: યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા ટ્રમ્પની ‘ગુપ્ત યોજના’: રશિયા સાથે ચાલી રહી છે 28-બિંદુઓ પર ખાનગી ચર્ચા
Anmol Bishnoi: ‘અનમોલ બિશ્નોઈને ભાઈ હોવાની સજા મળી રહી છે’: બાબા સિદ્દીકી હત્યામાં સંડોવણી પર પિતરાઈ ભાઈનો મોટો ખુલાસો
Pune Land Scam: પુણે જમીન કૌભાંડ તપાસ રિપોર્ટ: પાર્થ પવારને ક્લીન ચિટ, 3 અધિકારીઓ સામે પગલાં લેવા ભલામણ
Exit mobile version