Site icon News Continuous Bureau | Mumbai

રાજ્યની બીજી લહેરમાં દર એક કલાકે 12 દર્દીઓનાં મોત, દેશના મૃત્યુદરમાં મહારાષ્ટ્ર છઠ્ઠા સ્થાને 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 5 જૂન 2021

Join Our WhatsApp Channel

શનિવાર

દેશમાં કોરોનાના કારણે થનારાં મોતના મામલે ગયા મહિને પાંચમા સ્થાને રહેનાર મહારાષ્ટ્ર હવે આઠમા સ્થાને આવી ગયું છે. પહેલા નંબરે પંજાબ, બીજા નંબરે ઉત્તરાખંડ, ત્રીજા નંબરે નાગાલૅન્ડ, ચોથા નંબરે ગોવા અને પાંચમા સ્થાને દેશની રાજધાની દિલ્હી છે. જોકે છઠ્ઠા ક્રમાંકે રહેલા આંદામાન અને મહારાષ્ટ્રનો મૃત્યુદર સમાન છે. આંદામાન અને મહારાષ્ટ્રનો મૃત્યુદર 1.68 ટકા છે.

મુંબઈ સહિત રાજ્યમાં કોરોનાની બીજી લહેરની શરૂઆત 10 ફેબ્રુઆરીથી થઈ હતી. બીજી લહેરને કારણે અત્યાર સુધી 46,034 લોકોનાં મોત થયાં છે. રાજ્યમાં કોરોનાને કારણે મોતના આંકડા ઝડપથી વધી રહ્યા હતા. ગયા વર્ષે 9 માર્ચ, 2020થી શરૂ થનાર કોરોનાએ અત્યાર સુધીમાં 97,394 લોકોનો ભોગ લીધો છે. પ્રથમ લહેરમાં 9 ફેબ્રુઆરી સુધી કોરોનાને કારણે કુલ 51,360 લોકોનાં મોત થયાં હતા, જ્યારે બીજી લહેર એટલે કે 10 ફેબ્રુઆરીથી 3 જૂન સુધી 46,034 લોકોનાં મોત કોરોનાને કારણે થયાં છે.

ડેથ રિવ્યુ સમિતિના અધ્યક્ષ ડૉ. અવિનાશ સુપેએ કહ્યું કે રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં હવે ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી લહેરમાં જે વાયરસ વેરિયન્ટ છે એ અચાનક મોતનું કારણ છે.

5G ટેસ્ટિંગ વિરુદ્ધ અરજી કરવી જુહી ચાવલાને પડી ભારે, કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો આટલા લાખ રૂપિયાનો દંડ

રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધીમાં સૌથી વધારે 14,907 લોકોનાં મોત મુંબઈમાં થયાં છે. એ પછી 12,737 મોત સાથે પુણે બીજા નંબરે છે. ત્રીજા નંબરે ઠાણેમાં 8,255 લોકોનાં મોત થયાં તો ચોથા નંબરે નાગપુરમાં 6,787 લોકોનાં મોત થયાં છે. 

El Nino Effect| ખેતી માટે કટોકટીનો સમય ‘એલ નિનો’ના પડકાર અને કમોસમી વરસાદની બેવડી માર સામે સીએમ ફડણવીસે આપ્યા ખાસ નિર્દેશો
Sahar Yunus Shaikh। OBC સર્ટિફિકેટ મામલે મુંબ્રાના કોર્પોરેટર સહર યુનુસ શેખની સ્પષ્ટતા, વિવાદ વચ્ચે જાણો શું છે સત્ય.
Maharashtra Weather। શું મુંબઈમાં પણ પડશે વરસાદ? ગરમીથી ત્રસ્ત મહારાષ્ટ્રવાસીઓ માટે આવી મોટા રાહતના સમાચાર, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Modern Bhakti:આધ્યાત્મિકતા અને આધુનિક સંગીતનું અદભૂત મિશ્રણ
Exit mobile version