મહારાષ્ટ્ર સરકારે ‘બ્રેક ધ ચેઇન’ અંતર્ગત રાજ્યના આ જિલ્લામાં લોકડાઉનના નિયંત્રણ કર્યા વધુ હળવા, આવતીકાલથી મળશે આ છૂટછાટ ; જાણો વિગતે 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 14 ઑગસ્ટ, 2021

શનિવાર

મુંબઈ બાદ હવે મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં ‘બ્રેક ધ ચેઇન’ અંતર્ગત લોકડાઉનના નિયમો આવતીકાલથી હળવા કરવામાં આવશે. 

દુકાનો, મોલ, રેસ્ટોરાં, જિમ, યોગ કેન્દ્ર, સલૂન અને સ્પા રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રહેશે. પરંતુ પૂજા સ્થળો અને સિનેમાઘરો બંધ રહેશે.

આ ઉપરાંત એવી સંસ્થાઓ કે જેમના કર્મચારીઓ એ કોરોના વેક્સીન ના બંને ડોઝ લીધા હોય તેમને માત્ર 100 ટકા ક્ષમતા સાથે કામ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. 

સાથે જ હોટલોને આ છૂટ આપવામાં આવી છે પણ સામાજિક અંતરનું પાલન કરવું પડશે. ગ્રાહક પાસેથી છેલ્લો ઓર્ડર 9 વાગ્યા સુધી જ લેવાનો રહેશે, જોકે પાર્સલ સેવા ચાલુ રાખી શકાશે. 

સરકારની માર્ગદર્શિકા મુજબ કલેકટર ડો. અભિજીત ચૌધરીએ આ અંગે આદેશ જારી કર્યા છે. 15 ઓગસ્ટથી જિલ્લામાં તેનો અમલ થશે અને શરતોનું પાલન કરવું પડશે, એમ તેમણે જણાવ્યું હતું.

બોલિવુડ અભિનેતા અજય દેવગણે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથે કરી ખાસ મુલાકાત, તસવીરો શેર કરીને કહી આ વાત.. જાણો વિગતે

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More