Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર સરકારે ‘બ્રેક ધ ચેઇન’ અંતર્ગત રાજ્યના આ જિલ્લામાં લોકડાઉનના નિયંત્રણ કર્યા વધુ હળવા, આવતીકાલથી મળશે આ છૂટછાટ ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 14 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

શનિવાર

મુંબઈ બાદ હવે મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં ‘બ્રેક ધ ચેઇન’ અંતર્ગત લોકડાઉનના નિયમો આવતીકાલથી હળવા કરવામાં આવશે. 

દુકાનો, મોલ, રેસ્ટોરાં, જિમ, યોગ કેન્દ્ર, સલૂન અને સ્પા રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રહેશે. પરંતુ પૂજા સ્થળો અને સિનેમાઘરો બંધ રહેશે.

આ ઉપરાંત એવી સંસ્થાઓ કે જેમના કર્મચારીઓ એ કોરોના વેક્સીન ના બંને ડોઝ લીધા હોય તેમને માત્ર 100 ટકા ક્ષમતા સાથે કામ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. 

સાથે જ હોટલોને આ છૂટ આપવામાં આવી છે પણ સામાજિક અંતરનું પાલન કરવું પડશે. ગ્રાહક પાસેથી છેલ્લો ઓર્ડર 9 વાગ્યા સુધી જ લેવાનો રહેશે, જોકે પાર્સલ સેવા ચાલુ રાખી શકાશે. 

સરકારની માર્ગદર્શિકા મુજબ કલેકટર ડો. અભિજીત ચૌધરીએ આ અંગે આદેશ જારી કર્યા છે. 15 ઓગસ્ટથી જિલ્લામાં તેનો અમલ થશે અને શરતોનું પાલન કરવું પડશે, એમ તેમણે જણાવ્યું હતું.

બોલિવુડ અભિનેતા અજય દેવગણે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથે કરી ખાસ મુલાકાત, તસવીરો શેર કરીને કહી આ વાત.. જાણો વિગતે

TCS Nashik Case| નાસિક TCS કેસ ‘દબંગ મેમ’ નિદા ખાનનું લોકેશન મળ્યું, પ્રેગ્નેન્સીનું કારણ ધરી કોર્ટમાં આગોતરા જામીન માટે કરી અરજી
Maharashtra Weather Update। મહારાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ આગામી 4 દિવસ ભારે, વહીવટીતંત્ર દ્વારા ‘હીટવેવ’ની ચેતવણી; જાણો તમારા શહેરની સ્થિતિ
Marriage Fraud Racket: લગ્નના નામે છેતરપિંડી બાપદીકરીની જોડીનો પોલીસે કર્યો પર્દાફાશ, 5 પરિવારોને લગાવ્યો લાખોનો ચૂનો
TCS Nashik Case:નિદા ખાન ઉર્ફે ‘દબંગ મેમ’ની ક્રૂરતાનો અંત TCS માં ધર્માંતરણ અને બુરખો પહેરવાની ફરજ પાડતા હોવાનો ભાંડો ફૂટ્યો
Exit mobile version