Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર સરકારે ‘બ્રેક ધ ચેઇન’ અંતર્ગત રાજ્યના આ જિલ્લામાં લોકડાઉનના નિયંત્રણ કર્યા વધુ હળવા, આવતીકાલથી મળશે આ છૂટછાટ ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 14 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

શનિવાર

મુંબઈ બાદ હવે મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં ‘બ્રેક ધ ચેઇન’ અંતર્ગત લોકડાઉનના નિયમો આવતીકાલથી હળવા કરવામાં આવશે. 

દુકાનો, મોલ, રેસ્ટોરાં, જિમ, યોગ કેન્દ્ર, સલૂન અને સ્પા રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રહેશે. પરંતુ પૂજા સ્થળો અને સિનેમાઘરો બંધ રહેશે.

આ ઉપરાંત એવી સંસ્થાઓ કે જેમના કર્મચારીઓ એ કોરોના વેક્સીન ના બંને ડોઝ લીધા હોય તેમને માત્ર 100 ટકા ક્ષમતા સાથે કામ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. 

સાથે જ હોટલોને આ છૂટ આપવામાં આવી છે પણ સામાજિક અંતરનું પાલન કરવું પડશે. ગ્રાહક પાસેથી છેલ્લો ઓર્ડર 9 વાગ્યા સુધી જ લેવાનો રહેશે, જોકે પાર્સલ સેવા ચાલુ રાખી શકાશે. 

સરકારની માર્ગદર્શિકા મુજબ કલેકટર ડો. અભિજીત ચૌધરીએ આ અંગે આદેશ જારી કર્યા છે. 15 ઓગસ્ટથી જિલ્લામાં તેનો અમલ થશે અને શરતોનું પાલન કરવું પડશે, એમ તેમણે જણાવ્યું હતું.

બોલિવુડ અભિનેતા અજય દેવગણે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથે કરી ખાસ મુલાકાત, તસવીરો શેર કરીને કહી આ વાત.. જાણો વિગતે

Maharashtra Weather Update મહારાષ્ટ્રમાં આગામી ૪૮ કલાક ભારે! હવામાન વિભાગ દ્વારા હાઇ એલર્ટ જાહેર, અનેક જિલ્લાઓમાં મુસળધાર વરસાદની આગાહી
Nashik Double Murder Suicide Attempt કૌટુંબિક વિવાદમાં પતિ બની ગયો રાક્ષસ, નાસિકમાં માદીકરાની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ..
MP Assembly Passes UCC Bill ઉત્તરાખંડ બાદ હવે મધ્યપ્રદેશમાં પણ UCC લાગુ વિપક્ષના ભારે હંગામા વચ્ચે મોહન યાદવ સરકારે પાસ કર્યું મોટું બિલ
Raj Thackeray Slams Modi Govt દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે રાજ ઠાકરે લાલચોળ PM મોદી અને BJP સરકાર પર સાધ્યું નિશાન
Exit mobile version