ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 ઑગસ્ટ, 2021
શુક્રવાર
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 6,695 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 120 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 63,36,220 થઈ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 7,120 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96.66 ટકા થયો છે.
હાલ રાજ્યમાં 74,995 એક્ટિવ કેસ છે.
