ગોઝારી સવાર- સોલાપુરમાં ઝડપી કારે શ્રદ્ધાળુંઓને કચડી નાંખ્યા- ગાડીના ઉડી ગયા ફુરચેફુરચા- જુઓ વિડીયો    

by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર(Maharashtra)ના સોલાપુર(Solapur) થી એક ભયાનક માર્ગ અકસ્માત(Road Accident)ના સમાચાર સામે આવ્યા છે. સોલાપુરના સાંગોલે નગર પાસે એક માર્ગ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે. ઘણા લોકો ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે.

 

આ ભયાનક માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સાથે જ મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે દુર્ઘટનાનો ભોગ બનેલા લોકો પ્રખ્યાત પંઢરપુર યાત્રા(Pandharpur Yatra) એ જઈ રહ્યા હતા. પરંતુ રસ્તામાં તે આ ઘટનાનો શિકાર બન્યા હતા. માર્ગ અકસ્માતમાં વાહનને ભારે નુકસાન થયું છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈગરા- પાણી સંભાળીને વાપરજો- આજથી આ તારીખ સુધી આખા શહેરમાં રહેશે 10 ટકા પાણીકાપ

આ ઘટના બાદ વિસ્તારમાં શોકનું મોજુ પ્રસરી ગયું છે. મુખ્યમંત્રી એકનાથ શિંદે(CM Eknath Shinde)એ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. સાથે તેમણે મૃતકોના નજીકના પરિવાર માટે 5-5 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી છે. સાથે  તેમણે જિલ્લા વહીવટીતંત્રને ઘાયલોને તમામ શક્ય મદદ આપવાનો નિર્દેશ આપ્યા છે અને અકસ્માતની તપાસના આદેશ પણ આપ્યા છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More