Maharashtra Weather Update:મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદ અને કરાનો કહેર: ૧૨ જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’, જગતનો તાત પાયમાલ!

Maharashtra Weather Update:નાસિક, પુણે અને મરાઠવાડા સહિત અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે કવમોસમી વરસાદ; કેરી અને ડુંગળીના પાકને ભારે નુકસાન.

by Janvi Soni
maharashtra-weather-update-orange-alert-for-hailstorms-in-12-districts-farmers-face-heavy-crop-losses

News Continuous Bureau | Mumbai
Maharashtra Weather Update: મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી હવામાનમાં સતત પલટો જોવા મળી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ રાજ્ય માટે જોખમની ઘંટડી વગાડી છે. મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં આજે વાવાઝોડા સાથે ભારે વરસાદ અને કરા પડવાની શક્યતાને ધ્યાનમાં રાખીને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. માર્ચ મહિનાનો આજે છેલ્લો દિવસ હોવા છતાં વરસાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો, જેના કારણે ખેતીના પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

આ 12 જિલ્લાઓમાં ભારે વરસાદ અને કરા પડવાની ચેતવણી

હવામાન વિભાગે પરભણી, બીડ, જલગાંવ, પુણે, સાતારા, નાસિક, અહિલ્યાનગર (અહમદનગર), સોલાપુર, સાંગલી, છત્રપતિ સંભાજીનગર, હિંગોલી અને જાલના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ (Orange Alert) જારી કર્યું છે. આ જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ અને કરા પડી શકે છે. રાજ્યના બાકીના ભાગોમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. મુંબઈ સહિતના અનેક વિસ્તારોમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને કમોસમી વરસાદની શરૂઆત થઈ ચૂકી છે.

નાસિક અને ધુળેમાં ખેડૂતોની હાલત કફોડી

નાસિક જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં આજે અચાનક કમોસમી વરસાદે જોરદાર હાજરી આપી છે. માલેગાંવ, મનમાડ, સટાણા અને કળવણ પંથકમાં તોફાની પવન સાથે વરસાદ અને કેટલીક જગ્યાએ કરા પણ પડ્યા છે. આ અચાનક આવેલા વરસાદને કારણે ખેડૂતોમાં ભારે દોડધામ મચી ગઈ છે. ખાસ કરીને લણણી માટે તૈયાર ડુંગળી (Onion), દાડમ અને મકાઈના પાકને આ વરસાદથી મોટો ફટકો પડવાની શક્યતા છે. ધુળે જિલ્લામાં પણ સાકરી અને પિંપળનેર જેવા વિસ્તારોમાં કરા પડવાને કારણે ખેતરમાં ઉભેલા પાકને નુકસાન થયું છે.

આ સમાચાર પણ વાંચો : LPG Connection Surrender:શું તમારા વિસ્તારમાં PNG પાઈપલાઈન છે? જો ૩ મહિનામાં કનેક્શન નહીં લો તો LPG સપ્લાય અટકી જશે, જાણો શું છે સરકારનો પ્લાન

 ઉનાળાની શરૂઆતે જ કુદરતી આફતનો માર

સામાન્ય રીતે માર્ચના અંતમાં કાળઝાળ ગરમીની શરૂઆત થતી હોય છે, પરંતુ આ વર્ષે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા વરસાદી માહોલ સર્જાયો છે. કૃષિ નિષ્ણાતોના મતે, આ કમોસમી વરસાદ માત્ર અનાજ જ નહીં પણ કેરીના પાક માટે પણ જોખમી સાબિત થઈ શકે છે. વાદળછાયા વાતાવરણ અને કરા પડવાને કારણે ફળો ખરી પડવાની ભીતિ છે. હવામાન વિભાગે નાગરિકોને પણ સતર્ક રહેવા અને વીજળીના કડાકા વખતે સુરક્ષિત સ્થળે રહેવાની અપીલ કરી છે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More