Site icon

Maharashtra Bhawan: મહારાષ્ટ્ર જમ્મુ-કાશ્મીરમાં જમીન ‘ખરીદશે’, આવું કરનાર દેશનું પ્રથમ રાજ્ય બનશે.. જાણો શું છે હેતુ..

Maharashtra Bhawan: શ્રીનગર એરપોર્ટ નજીક ઇચગામમાં 2.5 એકર જમીન પર મહારાષ્ટ્ર ભવન બનાવવામાં આવશે. જમ્મુ અને કાશ્મીર સરકારે બિલ્ડિંગના નિર્માણ માટે મહારાષ્ટ્ર સરકારને 8.16 કરોડ રૂપિયામાં જમીન ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી છે.

Maharashtra will 'buy' land in Jammu and Kashmir, becoming the first state in the country to do so.

Maharashtra will 'buy' land in Jammu and Kashmir, becoming the first state in the country to do so.

News Continuous Bureau | Mumbai

Maharashtra Bhawan: મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકાર જમ્મુ-કાશ્મીરમાં જમીન ખરીદશે. અહીં મહારાષ્ટ્ર ભવન બનાવવામાં આવશે. આ સાથે મહારાષ્ટ્ર દેશનું પહેલું રાજ્ય બનશે જેણે જમ્મુ અને કાશ્મીરમાં રાજ્ય બિલ્ડિંગ બનાવવા માટે જમીન ખરીદવાનો નિર્ણય કર્યો હોય. મહારાષ્ટ્ર સરકાર શ્રીનગરની બહાર બડગામમાં આ જમીન ખરીદશે. મહારાષ્ટ્ર કેબિનેટે બુધવારે આ નિર્ણયને મંજૂરી આપી હતી. 

Join Our WhatsApp Community

મહારાષ્ટ્ર ભવન – ખીણમાં પ્રથમ રાજ્ય ભવન – શ્રીનગર ( Srinagar ) શહેરની બહાર મધ્ય કાશ્મીરના બડગામ ખાતે આવશે. મહારાષ્ટ્ર કેબિનેટે બુધવારે જમીન ખરીદવાની મંજૂરી આપી હતી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે શ્રીનગર એરપોર્ટ નજીક ઇચગામમાં 2.5 એકર જમીન પર મહારાષ્ટ્ર ભવન બનાવવામાં આવશે. જમ્મુ અને કાશ્મીર સરકારે બિલ્ડિંગના નિર્માણ માટે મહારાષ્ટ્ર સરકારને ( Maharashtra Government ) 8.16 કરોડ રૂપિયામાં જમીન ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી છે. આમાં લગભગ 20 કનાલ જમીન મહારાષ્ટ્ર સરકારને આપવામાં આવશે. આ માટે 8.16 કરોડ રૂપિયાની રકમ મળી છે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર સરકારને 40.8 લાખ રૂપિયા પ્રતિ કનાલના ભાવે જમીન આપવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો :  Amitabh bachchan: અમિતાભ બચ્ચન એ તેની ફિલ્મ કલ્કિ 2898 એડી ને લઈને આપ્યું મોટું અપડેટ, જણાવ્યું કેવી રીતે ચાલી રહ્યું છે ફિલ્મ નું શૂટિંગ

 શ્રીનગર અને અયોધ્યામાં મહારાષ્ટ્ર ભવન બનાવવામાં આવશે…

આ સુવિધાનો ઉદ્દેશ્ય મહારાષ્ટ્રના પ્રવાસીઓ અને અધિકારીઓ માટે આરામદાયક આવાસ અને સુવિધાઓ પ્રદાન કરવાનો છે.

નોંધનીય છે કે, ગયા વર્ષે જૂન મહિનામાં મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે (  CM Eknath shinde ) જમ્મુ-કાશ્મીરની ( Jammu and Kashmir ) મુલાકાતે ગયા હતા. આ દરમિયાન તેમણે રાજ્યપાલ મનોજ સિંહા સાથે મુલાકાત કરી હતી. સાથે જ જમીન ખરીદવાની પણ વાતો થઈ હતી. મહારાષ્ટ્ર સરકારનું કહેવું છે કે તેના રાજ્યમાંથી જમ્મુ-કાશ્મીર આવતા પ્રવાસીઓને પણ અહીં રહેવાની સુવિધા મળશે. આ સિવાય મહારાષ્ટ્રના લોકોને અન્ય ઘણી સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે.

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારે બજેટમાં જાહેરાત કરી હતી કે શ્રીનગર અને અયોધ્યામાં મહારાષ્ટ્ર ભવન બનાવવામાં આવશે. તેના દ્વારા મહારાષ્ટ્રથી યુપી અને કાશ્મીર જતા પ્રવાસીઓને ઓછા દરે સુવિધા પૂરી પાડી શકાશે .

Railway Refund Rules 2026: વંદે ભારત સ્લીપર અને અમૃત ભારત 2 માં ટિકિટ કેન્સલેશનના નિયમો બદલાયા; જાણો રિફંડ માટેની નવી સમય મર્યાદા
Maharashtra Weather Update: મુંબઈ-પુણે સહિત આખું મહારાષ્ટ્ર ઠુંઠવાશે! ઠંડીના જોર સાથે વાદળછાયું આકાશ, શું માવઠું પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ ચેતવણી
BJP Organizational Changes: અધ્યક્ષ બનતા જ નિતિન નબીનનો માસ્ટરસ્ટ્રોક! વિનોદ તાવડે અને આશિષ શેલારને સોંપી મોટી જવાબદારી; ભાજપના સંગઠનમાં ધરખમ ફેરફાર
Sunita Williams: અવકાશના ક્ષેત્રમાં એક યુગનો અંત: 27 વર્ષની સેવા અને 608 દિવસ અંતરિક્ષમાં વિતાવ્યા બાદ સુનિતા વિલિયમ્સ નાસામાંથી નિવૃત્ત.
Exit mobile version