આ કેન્દ્રીય પ્રધાનને બળાત્કાર શબ્દ વાપરવો ભારે પડયો, હવે મહિલા આયોગે પોલીસ પાસે માંગ્યો અહેવાલ… જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 22 ફેબ્રુઆરી 2022,  

મંગળવાર,

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની મુશ્કેલીઓમાં વધારો થવાની શક્યતા છે. એક તરફ બીએમસીએ તેમને તેમના જુહૂના બંગલામાં કથિત ગેરકાયદે બાંધકામને લઈને નોટિસ મોકલી છે. તો બીજી તરફ રાજ્ય મહિલા આયોગે ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મેનેજર દિશા સલિયનની માનહાનિ પર રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.
રાજ્યના મહિલા આયોગ દ્વારા મુંબઈની માલવણી પોલીસને 48 કલાકની અંદર રિપોર્ટ આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

તાજેતરમાં જ એક પત્રકાર પરિષદમાં કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ આરોપ લગાવ્યો હતો કે દિશા સાલિયાનની હત્યા કરવામાં આવી છે. પોલીસ રિપોર્ટ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી પણ દિશા સાલિયાનને બદનામ કરવા બદલ રાણે વિરુદ્ધ મુંબઈના મેયર કિશોરી પેડણેકરે તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

લો બોલો, ફર્લો પર બહાર આવેલા ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમને મળી Z પ્લસ સુરક્ષા, આ છે કારણ; જાણો વિગતે 

સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સાલિયાનના મૃત્યુની તપાસ CBI દ્વારા કરવામાં આવી છે. તેણીના ઓટોપ્સી રિપોર્ટ અનુસાર તેણીના મૃત્યુ પહેલા તેણી પર બળાત્કાર થયો ન હતો અને તે સમયે તે ગર્ભવતી ન હતી. તેના માતા-પિતાની ખાતરી હોવા છતાં, કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ એક પ્રેસ કોન્ફરન્સ કરી અને દિશા સાલિયાન પર બળાત્કાર અને તેની હત્યા કરવાનો આરોપ લગાવ્યો હતો. તેથી મેયર કિશોરી પેડનેકરે મહારાષ્ટ્ર રાજ્ય મહિલા આયોગને દિશા સાલિયાનની મૃત્યુ પછી પણ બદનામ કરનારાઓ સામે પગલાં લેવાની માગણી કરી છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More