272
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 ઓક્ટોબર, 2021
ગુરુવાર
ગત 14 દિવસો દરમિયાન મહારાષ્ટ્ર સરકારે આખા રાજ્યમાં કોરોનાનું ટેસ્ટિંગ ઘટાડી દીધું છે. મહારાષ્ટ્રમાં એકંદરે ૧૮ ટકા ઓછું ટેસ્ટિંગ થઈ રહ્યું છે. તેમજ મુંબઈ શહેરમાં સાડા પાંચ ટકા કોરોના ટેસ્ટિંગ ઓછું કરવામાં આવ્યું છે. બીજી તરફ રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે મહારાષ્ટ્રમાં કોરોનાનો પ્રકોપ ઓછો થઈ રહ્યો છે.
વિપક્ષે સરકારની આલોચના કરી છે કે કોરોના ટેસ્ટીગ ઘટાડવું તે યોગ્ય નથી. આવું કરવાને કારણે આવનારા દિવસોમાં જોખમ પેદા થઈ શકે છે.
You Might Be Interested In