Site icon

મહાબળેશ્વરને મળશે નવી ઓળખ.. મહારાષ્ટ્રના મીની કાશ્મીરમાં હવે થશે કેસરનું વાવેતર.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Community

24 નવેમ્બર 2020 

મહારાષ્ટ્રનું મિનિ કાશ્મીર હવે સ્ટ્રોબેરીની સાથે "કેસર" માટે પણ જાણીતું થશે. રાજ્યમાં કેસરના વાવેતરનો પ્રથમ નવતર પ્રયોગ કૃષિ વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવ્યો છે. મહાબળેશ્વર મહારાષ્ટ્રનું મિનિ કાશ્મીર તરીકે ઓળખાય છે. મહાબળેશ્વર ઠંડા વાતાવરણ અને સ્ટ્રોબેરી માટે પ્રખ્યાત છે. હવે મહાબળેશ્વરની બીજી નવી ઓળખ બનવા જઈ રહી છે. એટલે કે, મહાબળેશ્વરની ઠંડી જમીનમાં કેસરની ખેતી કરવાનો એક નવતર પ્રયોગ હવે કૃષિ વિભાગ દ્વારા ચાલુ છે. 

જેમ મહાબળેશ્વર તેના સ્ટ્રોબેરી માટે પ્રખ્યાત છે, તેમ કાશ્મીરી કેસર પણ વિશ્વના શ્રેષ્ઠ કેસર તરીકે ઓળખાય છે. આ કેસરનો સરેરાશ ભાવ પ્રતિ કિલો રૂ. 3.5. લાખ છે. કાશ્મીરના પમ્પોર અને કીરાટવાડમાં કેસર મોટા પ્રમાણમાં ઉગાડવામાં આવે છે. કેસરની ખેતી માટે ચોક્કસ પ્રકારના આબોહવા, માટી, પ્રદેશની ઊંચાઇની જરૂર હોય છે. આ ઉત્પાદન માટે જરૂરી વિસ્તાર દરિયાની સપાટીથી બે થી અઢી હજાર મીટરની ઊંચાઈએ હોવો જોઈએ. ત્યાંનું સરેરાશ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ હોવું જોઈએ. 

મહારાષ્ટ્ર કૃષિ વિભાગ મહાબળેશ્વર તાલુકાના ખેડુતોને પર્યાવરણનો લાભ લેવા અને નવીન ખેતી પ્રયોગો કરવા પ્રોત્સાહિત કરી રહ્યું છે. અહીંનું વાતાવરણ, જમીન કેસર માટે સારી છે. જો આ પ્રયોગ સફળ રહેશે, તો અહીંના ખેડૂતોને સ્ટ્રોબેરીની સાથે આવકનો બીજો સારો સ્રોત મળશે.

Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં આટલા ટકા થી વધુ મહિલાઓ છે અપરિણીત, જાણો તેની પાછળના કારણો
Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનું તાંડવ, મરાઠવાડા અને વિદર્ભમાં અતિવૃષ્ટિ; જાણો ક્યાં કેવી છે સ્થિતિ
Bike Taxi: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, માત્ર આટલા રૂપિયામાં શરૂ થશે બાઈક ટેક્સીનો પ્રવાસ
Devendra Fadnavis: CM ફડણવીસની બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય, આરોગ્ય ક્ષેત્રમાં થયા ક્રાંતિકારી ફેરફાર
Exit mobile version