Site icon News Continuous Bureau | Mumbai

મહાબળેશ્વરને મળશે નવી ઓળખ.. મહારાષ્ટ્રના મીની કાશ્મીરમાં હવે થશે કેસરનું વાવેતર.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Community

24 નવેમ્બર 2020 

મહારાષ્ટ્રનું મિનિ કાશ્મીર હવે સ્ટ્રોબેરીની સાથે "કેસર" માટે પણ જાણીતું થશે. રાજ્યમાં કેસરના વાવેતરનો પ્રથમ નવતર પ્રયોગ કૃષિ વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવ્યો છે. મહાબળેશ્વર મહારાષ્ટ્રનું મિનિ કાશ્મીર તરીકે ઓળખાય છે. મહાબળેશ્વર ઠંડા વાતાવરણ અને સ્ટ્રોબેરી માટે પ્રખ્યાત છે. હવે મહાબળેશ્વરની બીજી નવી ઓળખ બનવા જઈ રહી છે. એટલે કે, મહાબળેશ્વરની ઠંડી જમીનમાં કેસરની ખેતી કરવાનો એક નવતર પ્રયોગ હવે કૃષિ વિભાગ દ્વારા ચાલુ છે. 

જેમ મહાબળેશ્વર તેના સ્ટ્રોબેરી માટે પ્રખ્યાત છે, તેમ કાશ્મીરી કેસર પણ વિશ્વના શ્રેષ્ઠ કેસર તરીકે ઓળખાય છે. આ કેસરનો સરેરાશ ભાવ પ્રતિ કિલો રૂ. 3.5. લાખ છે. કાશ્મીરના પમ્પોર અને કીરાટવાડમાં કેસર મોટા પ્રમાણમાં ઉગાડવામાં આવે છે. કેસરની ખેતી માટે ચોક્કસ પ્રકારના આબોહવા, માટી, પ્રદેશની ઊંચાઇની જરૂર હોય છે. આ ઉત્પાદન માટે જરૂરી વિસ્તાર દરિયાની સપાટીથી બે થી અઢી હજાર મીટરની ઊંચાઈએ હોવો જોઈએ. ત્યાંનું સરેરાશ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ હોવું જોઈએ. 

મહારાષ્ટ્ર કૃષિ વિભાગ મહાબળેશ્વર તાલુકાના ખેડુતોને પર્યાવરણનો લાભ લેવા અને નવીન ખેતી પ્રયોગો કરવા પ્રોત્સાહિત કરી રહ્યું છે. અહીંનું વાતાવરણ, જમીન કેસર માટે સારી છે. જો આ પ્રયોગ સફળ રહેશે, તો અહીંના ખેડૂતોને સ્ટ્રોબેરીની સાથે આવકનો બીજો સારો સ્રોત મળશે.

Maharashtra Politics: શિવસેનામાં ‘આદિત્ય’ યુગની તૈયારી! ઉદ્ધવ ઠાકરે સોંપી શકે છે મોટી જવાબદારી, રાજકીય સમીકરણો બદલાશે
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version