Mahayuti Alliance Crisis : શું એકનાથ શિંદે નારાજ છે? ફરી એકવાર સીએમ ફડણવીસની બેઠકમાં  ન  આપી હાજરી…  

Mahayuti Alliance Crisis : સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે વચ્ચેના સંબંધો બગડ્યા છે અને તણાવ વધી ગયો છે. તેઓ ફરી એકવાર મહત્વપૂર્ણ બેઠકોમાં ગેરહાજર રહ્યા.  જાણો કેમ વહેતી થઇ અટકળો …  

by kalpana Verat
Mahayuti Alliance Crisis Eknath Shinde again remained missing from CM Fadnavis meeting what reason behind

News Continuous Bureau | Mumbai

Mahayuti Alliance Crisis : મહારાષ્ટ્રની NDA સરકારમાં બધું બરાબર ચાલી રહ્યું નથી. અહેવાલ વહેતા થયા છે કે શું ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે નારાજ છે કે કેમ… કારણ કે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે બોલાવેલી મહત્વપૂર્ણ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે ગેરહાજર રહ્યા હતા. જેના કારણે રાજકીય વર્તુળોમાં ગરમાગરમ ચર્ચાઓ શરૂ થઈ ગઈ. આ પહેલા પણ, રાજ્યના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે બે કેબિનેટ બેઠકોમાં હાજરી આપી ન હતી અને એક કેબિનેટ બેઠક પહેલા, તેમણે તેમના મંત્રીઓની બેઠક યોજી હતી.

Mahayuti Alliance Crisis : તાજેતરની ઘટનાઓએ આ  અટકળોને વેગ આપ્યો

આ બધાથી એવી અટકળો વહેતી થઈ છે કે શિંદે નાખુશ છે અને તેમને કેબિનેટમાં સામેલ ન કરવા જેવી તાજેતરની ઘટનાઓએ આ  અટકળોને વેગ આપ્યો છે. 12 ફેબ્રુઆરીના રોજ, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સહ્યાદ્રી ગેસ્ટ હાઉસ ખાતે પુણે, નાસિક, નાગપુર અને છત્રપતિ સંભાજીનગરના મેટ્રોપોલિટન વિકાસ સત્તામંડળોની ચર્ચા કરવા માટે એક બેઠક બોલાવી હતી. શિંદે શહેરી વિકાસ વિભાગના વડા હોવાથી, બેઠકમાં તેમની હાજરી અપેક્ષિત હતી. જોકે, સભામાં હાજરી આપવાને બદલે તેમણે થાણે મલંગગઢ ઉત્સવમાં ભાગ લેવાનું પસંદ કર્યું.

Mahayuti Alliance Crisis :  આ મીટિંગ સત્તાવાર કાર્યક્રમમાં સૂચિબદ્ધ હતી

રસપ્રદ વાત એ છે કે, આ બેઠક તેમના સત્તાવાર સમયપત્રકમાં પણ સૂચિબદ્ધ હતી. મુખ્યમંત્રી કાર્યાલયના જણાવ્યા અનુસાર, આ બેઠક શિંદેના વિભાગ સાથે સંબંધિત હતી, પરંતુ તેમણે તેમને અગાઉથી જાણ કરી દીધી હતી કે તેઓ પૂર્વનિર્ધારિત કામને કારણે તેમાં હાજરી આપી શકશે નહીં.

આ સમાચાર પણ વાંચો: Maharashtra Politics : ઓપેરેશન ટાઈગરની શરૂઆત? ઉદ્ધવ ઠાકરેના આ દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામું, આજે શિંદે સેનામાં જોડાશે..

આ બધા વચ્ચે મોટો પ્રશ્ન એ છે કે શિંદેની નારાજગી પાછળનું કારણ શું છે? પહેલું કારણ તેમની મુખ્યમંત્રી તરીકે નિમણૂક ન થવી. બીજું કારણ તેમને ગૃહ મંત્રાલયનો પોર્ટફોલિયો નકારવામાં આવ્યો હતો અને તેમને ગૃહમંત્રી બનાવવામાં આવ્યા ન હતા. ત્રીજું કારણ રાયગઢ અને નાસિક એમ બે જિલ્લાઓમાં વાલીમંત્રીની નિમણૂકને લઈને વધતો વિવાદ છે. શિંદે આ બે જિલ્લાઓમાં તેમના પક્ષના બે મંત્રીઓને વાલી તરીકે નિયુક્ત કરવા માંગે છે, જ્યારે અજિત પવાર અને ફડણવીસે આ બે જિલ્લાઓમાં તેમના વાલી મંત્રીઓની નિમણૂક કરી દીધી છે, જોકે, ફડણવીસે આ પર તાત્કાલિક રોક લગાવી દીધી છે. 

 Mahayuti Alliance Crisis : શું જાણી જોઈને બેઠક અવગણી

ચોથું કારણ શિંદેને ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીમાંથી શરૂઆતમાં બાકાત રાખવામાં આવ્યા હતા અને પછીથી તેમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જોકે, હવે ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું શિંદેની મલંગગઢ માઘી પૂર્ણિમા ઉત્સવની મુલાકાત કેબિનેટ બેઠક કરતાં વધુ મહત્વપૂર્ણ હતી કે શિંદેએ જાણી જોઈને તેને અવગણી હતી? આ બેઠકમાં ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સહિત અન્ય સંબંધિત મંત્રીઓએ હાજરી આપી હતી. મોટી વાત એ છે કે અજિત પવાર ફડણવીસની કોઈ પણ મીટિંગ ચૂકી રહ્યા નથી, તેઓ દરેક મીટિંગમાં હાજરી આપી રહ્યા છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More