તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જી આ તારીખના રોજ  મુખ્યમંત્રી પદના શપથ લેશે, સતત ત્રીજી વખત મુખ્યમંત્રી બનશે

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 03 મે 2021

સોમવાર

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જી 5 મેના રોજ રાજભવન ખાતે બંગાળના પ્રધાન મંત્રી તરીકે શપથ લેશે. જ્યારે 6 મેથી પ્રોટેમ સ્પીકર બિમન બેનર્જી નવા ચૂંટાયેલા ધારાસભ્યોને તમામ ધારાસભ્યોને શપથ ગ્રહણ અપાવશે અને વિધાનસભાના અધ્યક્ષ તરીકે બિમન બેનર્જી ફરીથી ચૂંટવામાં આવશે. આજે મમતા બેનર્જી સાંજના 7 વાગ્યે રાજ્યપાલ જગદીપ ધનખડને મળશે અને પક્ષ દ્વારા લેવામાં આવેલા નિર્ણયની જાણ કરશે. 

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં વિજય બાદ તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જીએ તાપસિયામાં પાર્ટી કાર્યાલય ખાતે પાર્ટીના નવા ચૂંટાયેલા ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં ટીએમસીના સાંસદ અભિષેક બેનર્જી અને ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર પણ હાજર હતા.

 સપ્તાહના પ્રથમ દિવસે સોના અને ચાંદીના ભાવ માં નોંધાયો ઉછાળો,જાણો આજનો નવો ભાવ

આપને જણાવી દઈએ કે તૃણમૂલ કોંગ્રેસે પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં અદભૂત વિજય નોંધાવતા ઇતિહાસ રચ્યો છે અને સતત ત્રીજી વખત રાજ્યની સત્તા જાળવી રાખી છે. ટીએમસીએ 292 વિધાનસભા બેઠકોમાંથી 213 પર વિજય મેળવ્યો છે. તે જ સમયે, આ વિધાનસભાની ચૂંટણીમાં ટક્કર આપનાર ભાજપને 77 બેઠકો મળી હતી. જો કે ગત વિધાનસભા ચુંટણી 2016 માં ભાજપ પાસે માત્ર ત્રણ બેઠકો જ હતી.

મોટી જીત પછી પણ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને નંદીગ્રામ થી હારનો સામનો કરવો પડ્યો. મમતા તેમના પૂર્વ સાથીદાર શુભેન્દુ અધિકારીથી 1,956 મતોના અંતરે હારી ગયા હતા.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *