Site icon

દિલ્હી ભાજપમાં ધરખમ ફેરફાર, મનોજ તિવારીને હટાવી આ વ્યક્તિને બનાવાયા નવા અધ્યક્ષ

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

2 જુન 2020 

કોરોના સંકટ વચ્ચે ભારતીય જનતા પાર્ટી (ભાજપ )એ પાર્ટીમાં એક મોટો ફેરફાર કર્યો છે. પાટનગર દિલ્હીના ભાજપ અધ્યક્ષપદેથી મનોજ તિવારીને હટાવી દેવામાં આવ્યા છે. આ સાથે જ આદેશ કુમાર ગુપ્તાને દિલ્હી ભાજપની કમાન સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, પાર્ટીના મહાસચિવ અરૂણસિંહ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.

આ ઉપરાંત છત્તીસગઢના ભાજપ અધ્યક્ષને પણ હટાવવામાં આવ્યા છે. તેમની જગ્યાએ વિષ્ણુદેવ સાંઈને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા છે. તો બીજી તરફ મણિપુરમાં નવા પ્રદેશ પ્રમુખની પણ નિમણૂક કરવામાં આવી છે. હવે મણિપુર બીજેપીની કમાન એસ.ટિકેન્દ્રસિંહના હાથમાં આપવામાં આવી છે. નોંધનીય છે કે ત્રણેય અધ્યક્ષોની જાહેરાત પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની સૂચનાથી કરવામાં આવી હતી..  

Pakistani Products Scam:છત્રપતિ સંભાજીનગરમાં પાકિસ્તાની પ્રોડક્ટ્સ વેચવાનું કૌભાંડ ઝડપાયું: પ્રતિબંધિત ચીજવસ્તુઓના જથ્થા સાથે ૩ શખ્સોની ધરપકડ
Leopard Poaching Shock:પાલઘરમાં વન વિભાગનું મોટું ઓપરેશન: દીપડાની ચામડી સાથે બે શિકારીઓ ઝડપાયા, સંજય ગાંધી નેશનલ પાર્કમાં શિકાર કર્યાની કબૂલાતથી ખળભળાટ
Maharashtra Weather Forecast:સાવધાન! મહારાષ્ટ્રમાં કુદરત રૂઠી: આગામી 5 દિવસ વાવાઝોડું અને વરસાદ મચાવશે કહેર, IMD એ જાહેર કર્યું એલર્ટ.
Maharashtra Weather Update:મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદ અને કરાનો કહેર: ૧૨ જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’, જગતનો તાત પાયમાલ!
Exit mobile version