Site icon

દિલ્હી ભાજપમાં ધરખમ ફેરફાર, મનોજ તિવારીને હટાવી આ વ્યક્તિને બનાવાયા નવા અધ્યક્ષ

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

2 જુન 2020 

કોરોના સંકટ વચ્ચે ભારતીય જનતા પાર્ટી (ભાજપ )એ પાર્ટીમાં એક મોટો ફેરફાર કર્યો છે. પાટનગર દિલ્હીના ભાજપ અધ્યક્ષપદેથી મનોજ તિવારીને હટાવી દેવામાં આવ્યા છે. આ સાથે જ આદેશ કુમાર ગુપ્તાને દિલ્હી ભાજપની કમાન સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, પાર્ટીના મહાસચિવ અરૂણસિંહ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.

આ ઉપરાંત છત્તીસગઢના ભાજપ અધ્યક્ષને પણ હટાવવામાં આવ્યા છે. તેમની જગ્યાએ વિષ્ણુદેવ સાંઈને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા છે. તો બીજી તરફ મણિપુરમાં નવા પ્રદેશ પ્રમુખની પણ નિમણૂક કરવામાં આવી છે. હવે મણિપુર બીજેપીની કમાન એસ.ટિકેન્દ્રસિંહના હાથમાં આપવામાં આવી છે. નોંધનીય છે કે ત્રણેય અધ્યક્ષોની જાહેરાત પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની સૂચનાથી કરવામાં આવી હતી..  

Women Empowerment Gujarat: સુશાસનથી સશક્તીકરણ: આત્મનિર્ભરતાના આકાશમાં ઉડતી ગુજરાતની નારીશક્તિ
Natural Farming: પ્રાકૃતિક કૃષિ : પંચમહાલ જિલ્લો
Delhi Pollution: આભને આંબતું પ્રદૂષણ! દિલ્હીમાં વિઝિબિલિટી ઝીરો, એરપોર્ટ ઠપ્પ, ૧૨૯ ફ્લાઈટ્સ રદ.
Maharashtra Municipal Election: સ્થાનિક સ્વરાજ્યની કસોટી: ૨૩ નગર પરિષદો માટે આજે મતદાન, કોનું પલડું રહેશે ભારે? આવતીકાલે ફેંસલો
Exit mobile version