Site icon

આ રાજ્યમાં માઓવાદીઓનો આતંક વધ્યો, બંધના એલાન વચ્ચે વિસ્ફોટ દ્વારા રેલવે ટ્રેક ઉડાવ્યા; ટ્રેનોના પરિવહનને પડી અસર

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 20 નવેમ્બર  2021 

Join Our WhatsApp Community

શનિવાર.

ઝારખંડ ખાતે માઓવાદીઓએ 24 કલાક બંધના એલાનની જાહેરાત કરી છે.

પ્રાપ્ત જાણકારી મુજબ પ્રશાંત બોઝ અને શીલાની ધરપકડના વિરોધમાં આજે માઓવાદીઓનું ઝારખંડ બંધ છે. 

બંધ દરમિયાન માઓવાદિઓએ ચાઈબાસામાં રેલ ટ્રેક પર લેન્ડમાઈન્સ લગાવીને વિસ્ફોટ કર્યો હતો. જેના કારણે હાવડા-મુંબઈ રેલ રુટની ટ્રેનો પણ રદ કરવામાં આવી છે. 

આ ઘટના પછી રેલવે પ્રશાસન એક્ટિવ થઈ ગયું છે અને સુરક્ષા વ્યવસ્થાની તપાસ કરવામાં આવી રહી છે. 

રેલવેની ટીમે ટ્રેકનું સમારકામ શરૂ કરી દીધું છે. રેલવે ટ્રેક પર બ્લાસ્ટના કારણે ઘણી ટ્રેનોના રુટ ડાઈવર્ટ કરવા પડ્યા છે. 

નોંધનીય છે કે નક્સલવાદી નેતાઓ પ્રશાંત બોઝ અને શીલાની મુક્તિની માંગ કરી રહેલા નક્સલવાદીઓએ લાંબા સમય બાદ ફરી એકવાર રેલવે લાઈનને નિશાન બનાવ્યું છે.  

વિક્રમ ગોખલેએ ગળું ખોંખારીને ફરી એકવાર કહ્યું. આઝાદી તો 2014માં જ મળી. જાણો પ્રેસ કોન્ફરન્સમાં બીજું શું કહ્યું?

AhmedabadStation: આરપીએફ અમદાવાદની સતર્કતા અને ત્વરિત કાર્યવાહીથી મહિલા મુસાફરની જાન બચી અને એક શંકાસ્પદ વ્યક્તિ ઝડપાયો
Pod Taxi Mumbai: વાંદ્રે-કુર્લા પોડ ટેક્સી દેશના એકમાત્ર મોડેલ પ્રોજેક્ટ તરીકે અમલ કરવા શિંદેના નિર્દેશો
Maharashtra Monsoon: મહારાષ્ટ્રમાંથી આ તારીખ પહેલા વિદાય નહીં લે ચોમાસું, ફરી વરસશે મેઘરાજા, એલર્ટ જાહેર.
Women Empowerment Gujarat: આત્મનિર્ભર સ્ત્રીનું જીવંત દ્રષ્ટાંત એટલે શિક્ષણ, મહેનત અને સંકલ્પબળથી સફળ બનેલી ‘સુવાસિની સ્વસહાય જૂથ’ની મહિલાઓ
Exit mobile version