Site icon News Continuous Bureau | Mumbai

Maratha Reservation: શિંદે સરકારે મરાઠા આરક્ષણનો મુદ્દો ઉકેલ્યો, સ્વીકારી આ માંગો, મનોજ જરાંગે એ કર્યું આંદોલન સમાપ્ત..

Maratha Reservation Maharashtra govt 'concedes' Marathas' demands, agitation called off

Maratha Reservation Maharashtra govt 'concedes' Marathas' demands, agitation called off

News Continuous Bureau | Mumbai 

Maratha Reservation: મરાઠા આરક્ષણ મુદ્દે એકનાથ શિંદે સરકારને ઝૂકવું પડ્યું છે. શિંદે સરકારે કાર્યકર્તા મનોજ જરાંગેની માંગણીઓ સ્વીકારી લીધી છે. જરાંગે પોતે આ વાતો કહી છે. મનોજ જરાંગેએ કહ્યું કે, મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સારું કામ કર્યું છે. અમારો વિરોધ હવે સમાપ્ત થઈ ગયો છે. અમારી વિનંતી સ્વીકારવામાં આવી છે. અમે સરકારનો પત્ર સ્વીકારીશું. હું શનિવારે એટલે કે આજે મુખ્યમંત્રી ના હાથેથી જ્યુસ પીશ.

Join Our WhatsApp Channel

કુણબી પ્રમાણપત્ર આપવા સંમત

 પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે તેમણે આગળ કહ્યું કે અત્યાર સુધી સરકાર એવા તમામ 54 લાખ લોકોને કુણબી પ્રમાણપત્ર આપવા સંમત થઈ છે જેમના કુણબી હોવાના પુરાવા મળ્યા છે. અમારી લડાઈ માટે 54 લાખ એન્ટ્રીઓ મળી હતી. તેમને ટૂંક સમયમાં પ્રમાણપત્ર આપવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  Hair Spa : સુંદર વાળ મેળવવા માટે ઘરે જ કરો હેર સ્પા, જાણો કેવી રીતે કરવું સ્ટેપ બાય સ્ટેપ..

તમને જણાવી દઈએ કે મરાઠા આરક્ષણ આંદોલનના નેતા મનોજ જરાંગે શુક્રવારે કહ્યું હતું કે જ્યાં સુધી સમુદાયને સરકારી નોકરીઓ અને શિક્ષણમાં અનામત નહીં મળે ત્યાં સુધી તેઓ તેમનું આંદોલન સમાપ્ત નહીં કરે. જરાંગે સરકારી પ્રતિનિધિમંડળ સાથેની બેઠક બાદ નવી મુંબઈના વાશી વિસ્તારમાં શિવાજી ચોક ખાતે વિરોધીઓને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે હવે સરકાર પાસે મરાઠાઓ માટે મફત શિક્ષણની માંગ કરી છે. બીજી તરફ, મુખ્યમંત્રી કાર્યાલયના જણાવ્યા અનુસાર, સીએમ શિંદેએ માંગણીઓ અંગે ચર્ચા કરવા અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને બાદમાં જરાંગેને મળવા માટે ડ્રાફ્ટ વટહુકમ સાથે એક પ્રતિનિધિમંડળ મોકલ્યું હતું.

નવી મુંબઈમાં આંદોલનકારીઓ એકઠા થયા 

આ પહેલા જરાંગે શુક્રવારે હજારો સમર્થકો સાથે નવી મુંબઈ પહોંચી હતી. જરાંગે અને અન્ય કાર્યકરો મરાઠા આરક્ષણની માંગણી કરી રહ્યા હતા, તેઓ સવારે 5 વાગ્યાની આસપાસ મોટરસાયકલ, કાર, જીપ, ટેમ્પો અને ટ્રક પર મુંબઈની બહાર કૃષિ ઉત્પાદન બજાર સમિતિ (APMC) પહોંચ્યા હતા. જરાંગે પોતાના સમર્થકો સાથે આઝાદ મેદાનમાં ભૂખ હડતાળ શરૂ કરવાની ધમકી આપી હતી. વિરોધીઓ મરાઠા સમુદાય માટે કુણબી (અન્ય પછાત વર્ગ)નો દરજ્જો આપવાની માંગ કરી રહ્યા હતા.

Mumbai Police EOW Loan Fraud। મુંબઈ EOW ની કોર્પોરેટ જગત પર મોટી કાર્યવાહી જાણીતા ઉદ્યોગ જૂથની કંપનીઓના પૂર્વ ડાયરેક્ટરો સામે ૧૫૦ કરોડની લોન છેતરપિંડીનો કેસ
Western Railway Encroachment Drive। હાઈકોર્ટના આદેશ બાદ રેલ્વે એક્શનમાં મલાડગોરેગાંવ વચ્ચે રેલ્વે ટ્રેક આસપાસના દબાણો સાફ
Mumbai Police Orchestra Bar Raid। મુંબઈ પોલીસની ઓર્કેસ્ટ્રા બાર પર મોટી કાર્યવાહી લાયસન્સના નિયમોનો ભંગ કરનારા બે બાર સામે ગુનો દાખલ
Bahujan Vikas Aaghadi Shivsena Merge। મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા ઉથલપાથલના સંકેત હિતેન્દ્ર ઠાકુરની ‘બહુજન વિકાસ આઘાડી’ શિવસેનામાં વિલીન થવાની શક્યતા
Exit mobile version