News Continuous Bureau | Mumbai
Maratha Reservation : મનોજ જરાંગે પાટિલની ભૂખ હડતાળનો આજે છઠ્ઠો દિવસ છે. જાલનાના અંતરવાળી સરાતીમાં હાલ મનોજ જરાંગેની ભૂખ હડતાળ ( hunger strike ) ચાલી રહી છે. જો સરકાર નોટિફિકેશનનો અમલ નહીં કરે તો મુંબઈમાં ફરી આંદોલન કરવાની ચેતવણી જરાંગે પાટીલે આપી છે. મનોજ જરાંગે પાટિલની હાલત હાલ દિવસેને દિવસે બગડી રહી છે. પરંતુ, બુધવારે જરાંગેની તબિયત વધુ બગડી હતી. જેથી તેમને સલાઈન આપવામાં આવ્યું હતું, પરંતુ જરાંગે સલાઈન લગાડવાની ના પાડી હતી.
મનોજ જરાંગે પાટીલે ( Manoj Jarange Patil ) માંગણી કરી છે કે સરકાર ( Maharashtra Government ) દ્વારા મરાઠા આરક્ષણ માટે બહાર પાડવામાં આવેલ નોટીફિકેશને કાયદો બનાવવામાં આવે. જો માંગ પુરી નહીં થાય તો મુંબઈમાં ફરી આંદોલન ( protest ) કરવાની જરાંગે ચેતવણી આપી છે. તેથી હવે જોવું એ રહ્યું કે સરકાર જરાંગેની ભૂખ હડતાળમાં હસ્તક્ષેપ કરશે કે પછી જરાંગે ફરી મુંબઈ આવીને વિરોધ કરશે.
20 ફેબ્રુઆરીએ વિધાનસભાનું એક દિવસનું વિશેષ સત્ર ( Assembly special session ) બોલાવવાની મંજૂરી આપવામાં આવી છે..
પ્રાપ્ત માહિતી મુજબ, મનોજ જરાંગે પાટીલ ભૂખ હડતાળ પર છે અને તેમની હાલત દિવસેને દિવસે બગડી રહી છે. તેથી બુધવારે રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં ( cabinet meeting ) મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. 14 ફેબ્રુઆરીએ રાજ્ય સરકારની કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં મરાઠા સમુદાયની વિવિધ માંગણીઓ પર ચર્ચા કરવા માટે 20 ફેબ્રુઆરીએ વિધાનસભાનું એક દિવસનું વિશેષ સત્ર બોલાવવાની મંજૂરી આપવામાં આવી છે. તેથી હવે મરાઠા આરક્ષણ સંબંધિત માંગ પર ચર્ચા કરવા માટે 20 ફેબ્રુઆરીએ એક સત્ર યોજાશે. મરાઠા સમુદાયને અનામત મળવી જોઈએ તેવી માંગ માટે મનોજ જરાંગે પાટીલની અનિશ્ચિતકાળની ભૂખ હડતાળ ચાલુ છે.
આ સમાચાર પણ વાંચો : T20 WC 2024: રોહિત શર્મા T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રહેશે, BCCI સેક્રેટરી જય શાહે જાહેરાત કરી..જાણો વાઈસ કેપ્ટન કોણ છે..
દરમિયાન, મહારાષ્ટ્ર સરકારે બુધવારે બોમ્બે હાઈકોર્ટને જણાવ્યું હતું કે તે કુણબી જાતિ પ્રમાણપત્રો જારી કરીને અન્ય પછાત વર્ગો (ઓબીસી) કેટેગરીમાં પાત્ર મરાઠાઓને સમાવવા માટે તમામ જરૂરી પગલાં લઈ રહી છે. આ મુદ્દે મરાઠા આરક્ષણ કાર્યકર્તા મનોજ જરાંગેના ઉપવાસના પાંચમા દિવસમાં પ્રવેશ્યા બાદ સરકાર તરફથી આ નિવેદન આવ્યું છે.