News Continuous Bureau | Mumbai
Maratha Reservation મુંબઈના આઝાદ મેદાન (Azad Maidan) ખાતે મરાઠા અનામત (Maratha Reservation)ની માંગણી સાથે પાંચ દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા મનોજ જરાંગે પાટિલને આમ આદમી પાર્ટી (AAP)એ સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે. AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહ (Sanjay Singh)એ આજે જરાંગે પાટિલની મુલાકાત લીધી હતી અને તેમને પાર્ટી તથા અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) વતી સમર્થન આપ્યું હતું.
આંદોલનને AAPનું સંપૂર્ણ સમર્થન
સંજય સિંહે ANI સાથે વાતચીતમાં કહ્યું કે આમ આદમી પાર્ટી (AAP) મનોજ જરાંગે પાટિલના આંદોલનને સંપૂર્ણ સમર્થન આપે છે. તેમણે જણાવ્યું કે મરાઠા સમાજ છેલ્લા ઘણા વર્ષોથી અનામત માટે લડી રહ્યો છે. કોર્ટને પણ તેમની માંગણીઓને ધ્યાનમાં લેવી જોઈએ. સાથે જ સંજય સિંહે જરાંગે પાટિલને વિનંતી કરી કે તેઓ પોતાના સ્વાસ્થ્યને જોખમમાં ન મૂકે.
ખાલી કરવાની નોટિસ છતાં આંદોલન ચાલુ
બોમ્બે હાઈકોર્ટના (Bombay High Court) નિર્દેશ બાદ મુંબઈ પોલીસે આઝાદ મેદાન ખાલી કરવાની નોટિસ આપી હતી. હાઈકોર્ટે મંગળવાર બપોર સુધીમાં મુંબઈના રસ્તાઓ પરથી આંદોલનકારીઓને હટાવવાનો આદેશ આપ્યો હતો. તેમ છતાં મનોજ જરાંગે પાટિલે સ્પષ્ટ કહ્યું છે કે ભલે તેમનો જીવ જાય, પણ તેઓ આઝાદ મેદાન છોડશે નહીં.
આ સમાચાર પણ વાંચો : BEST bus services Mumbai: મરાઠા અનામત આંદોલન બાદ સીએસએમટીથી બેસ્ટ બસ સેવાઓ ફરી શરૂ
જરાંગે પાટિલને આપી આશ્વાસન
સંજય સિંહે જણાવ્યું કે આમ આદમી પાર્ટી (AAP) મરાઠા સમાજ સાથે છે અને અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)નો સંદેશ પણ પહોંચાડ્યો છે. તેમણે કહ્યું કે લડાઈ લોકશાહી માધ્યમથી ચાલુ રહેશે અને સરકારને મરાઠા સમાજની માંગણીઓ સ્વીકારવી જોઈએ. આંદોલનકારી મનોજ જરાંગે પાટિલે જણાવ્યું કે જ્યાં સુધી માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી તેઓ લડાઈ ચાલુ રાખશે.