Site icon

Matheran Tourism Closed : સહેલાણીઓનું પ્રિય હિલ-સ્ટેશન માથેરાન આજથી અનિશ્ચિત સમય માટે બંધ.. જાણો કારણ…

Matheran Tourism Closed : માથેરાન પ્રવાસન બચાવ સમિતિએ માથેરાન શહેરમાં આવતા પ્રવાસીઓ સામે થઈ રહેલી છેતરપિંડી રોકવા માટે કડક પગલાં લીધા છે.

Planning To Visit Matheran Hill Station Closed Indefinitely To Stop Cheating Of Tourists

Planning To Visit Matheran Hill Station Closed Indefinitely To Stop Cheating Of Tourists

  News Continuous Bureau | Mumbai 

 

Join Our WhatsApp Community

Matheran Tourism Closed :માથેરાન માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં પરંતુ દેશમાં પણ એક લોકપ્રિય પર્યટન સ્થળ છે. રાજ્ય અને દેશભરમાંથી પ્રવાસીઓ માથેરાનની મુલાકાત લેવા આવે છે. જો તમે માથેરાનની મુલાકાત લેવાનું આયોજન કરી રહ્યા છો, તો તેને તાત્કાલિક રદ કરો, કારણ કે માથેરાન આજથી અનિશ્ચિત સમય માટે બંધ થઇ ગયું છે. 

Matheran Tourism Closed : માથેરાન અનિશ્ચિત સમય માટે બંધ

વાસ્વતમાં માથેરાન આવતા પ્રવાસીઓને ઘોડેસવારો, કુલીઓ અને દસ્તુરી નાકા પર ભીડમાં ઉભા રહેલા એજન્ટો દ્વારા ગેરમાર્ગે દોરવામાં આવે છે. તેમને ખોટી માહિતી આપીને છેતરવામાં આવી રહ્યા હોવાનું બહાર આવ્યું. માથેરાન પ્રવાસન બચાવ સંઘર્ષ સમિતિએ માથેરાનના વહીવટકર્તાઓને લેખિત નિવેદન સુપરત કરીને માંગ કરી હતી કે મુલાકાતે આવતા પ્રવાસીઓ સામે થતી છેતરપિંડી અટકાવવામાં આવે. જોકે, વહીવટીતંત્રે આ માંગણીઓ પર ધ્યાન આપ્યું ન હતું. તેથી, માથેરાન પ્રવાસન બચાવ સંઘર્ષ સમિતિએ આજથી માથેરાનમાં અનિશ્ચિત સમય માટે બંધનું એલાન આપ્યું હતું. સંઘર્ષ સમિતિની આ માંગણીનો માથેરાનના લોકોએ ઉત્સાહપૂર્વક પ્રતિસાદ આપ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Neral Matheran Toy Train : માથેરાનની લોકપ્રિય ટોય ટ્રેનને મળશે નવો લુક; મધ્ય રેલવેએ જારી કરી તસવીરો; જુઓ…

Matheran Tourism Closed : માથેરાન  સૌથી લોકપ્રિય પર્યટન સ્થળ

મહત્વનું છે કે માથેરાન રાયગઢ જિલ્લામાં સૌથી લોકપ્રિય પર્યટન સ્થળ તરીકે જાણીતું છે. ઘણા વિસ્તારોના લોકો આ પર્યટન સ્થળ પર કામ કરવા માટે આવે છે. આમાં, કર્જત તાલુકાના મોટી સંખ્યામાં લોકો, જેમાં રિક્ષાચાલકો, કુલીઓ અને ઘોડેસવારોનો સમાવેશ થાય છે, જેઓ પોતાનું ગુજરાન ચલાવવા માટે આવે છે. માથેરાનના લોકો આરોપ લગાવી રહ્યા છે કે આમાંના કેટલાક ઘોડેસવારો પ્રવાસીઓને ગેરમાર્ગે દોરે છે અને છેતરે છે. અહીં આવેલા એક પ્રવાસીએ આ ઘટના વિશે સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરી હતી. જેના કારણે નકારાત્મક પ્રતિક્રિયાઓ આવી હતી.

Sharad Pawar: મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ! NCP વિલય મુદ્દે શરદ પવારે ફડણવીસને આપ્યો જડબાતોડ જવાબ, સુનેત્રા પવાર વિશે આપ્યું મોટું નિવેદન
Ajit Pawar’s Last Words: ન ક્રેશના 8 મિનિટ પહેલાનો એ ફોન: અજિત પવારે છેલ્લે કોની સાથે કરી હતી વાત? સામે આવી અંતિમ વાતચીતની વિગતો
India-China Trade: ભારત-ચીન વેપાર $155 બિલિયનને પાર, ચીની રાજદૂતે વેપાર સંબંધોને લઈને આપ્યા મોટા સંકેત.
Father of All Deals: ભારત-અમેરિકા વચ્ચે ઐતિહાસિક વેપાર સમજૂતી, હવે ટેક્સ વગર થશે $40 અબજનો વેપાર.
Exit mobile version