Site icon News Continuous Bureau | Mumbai

Matheran Tourism Closed : સહેલાણીઓનું પ્રિય હિલ-સ્ટેશન માથેરાન આજથી અનિશ્ચિત સમય માટે બંધ.. જાણો કારણ…

Matheran Tourism Closed : માથેરાન પ્રવાસન બચાવ સમિતિએ માથેરાન શહેરમાં આવતા પ્રવાસીઓ સામે થઈ રહેલી છેતરપિંડી રોકવા માટે કડક પગલાં લીધા છે.

Planning To Visit Matheran Hill Station Closed Indefinitely To Stop Cheating Of Tourists

Planning To Visit Matheran Hill Station Closed Indefinitely To Stop Cheating Of Tourists

  News Continuous Bureau | Mumbai 

 

Join Our WhatsApp Channel

Matheran Tourism Closed :માથેરાન માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં પરંતુ દેશમાં પણ એક લોકપ્રિય પર્યટન સ્થળ છે. રાજ્ય અને દેશભરમાંથી પ્રવાસીઓ માથેરાનની મુલાકાત લેવા આવે છે. જો તમે માથેરાનની મુલાકાત લેવાનું આયોજન કરી રહ્યા છો, તો તેને તાત્કાલિક રદ કરો, કારણ કે માથેરાન આજથી અનિશ્ચિત સમય માટે બંધ થઇ ગયું છે. 

Matheran Tourism Closed : માથેરાન અનિશ્ચિત સમય માટે બંધ

વાસ્વતમાં માથેરાન આવતા પ્રવાસીઓને ઘોડેસવારો, કુલીઓ અને દસ્તુરી નાકા પર ભીડમાં ઉભા રહેલા એજન્ટો દ્વારા ગેરમાર્ગે દોરવામાં આવે છે. તેમને ખોટી માહિતી આપીને છેતરવામાં આવી રહ્યા હોવાનું બહાર આવ્યું. માથેરાન પ્રવાસન બચાવ સંઘર્ષ સમિતિએ માથેરાનના વહીવટકર્તાઓને લેખિત નિવેદન સુપરત કરીને માંગ કરી હતી કે મુલાકાતે આવતા પ્રવાસીઓ સામે થતી છેતરપિંડી અટકાવવામાં આવે. જોકે, વહીવટીતંત્રે આ માંગણીઓ પર ધ્યાન આપ્યું ન હતું. તેથી, માથેરાન પ્રવાસન બચાવ સંઘર્ષ સમિતિએ આજથી માથેરાનમાં અનિશ્ચિત સમય માટે બંધનું એલાન આપ્યું હતું. સંઘર્ષ સમિતિની આ માંગણીનો માથેરાનના લોકોએ ઉત્સાહપૂર્વક પ્રતિસાદ આપ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Neral Matheran Toy Train : માથેરાનની લોકપ્રિય ટોય ટ્રેનને મળશે નવો લુક; મધ્ય રેલવેએ જારી કરી તસવીરો; જુઓ…

Matheran Tourism Closed : માથેરાન  સૌથી લોકપ્રિય પર્યટન સ્થળ

મહત્વનું છે કે માથેરાન રાયગઢ જિલ્લામાં સૌથી લોકપ્રિય પર્યટન સ્થળ તરીકે જાણીતું છે. ઘણા વિસ્તારોના લોકો આ પર્યટન સ્થળ પર કામ કરવા માટે આવે છે. આમાં, કર્જત તાલુકાના મોટી સંખ્યામાં લોકો, જેમાં રિક્ષાચાલકો, કુલીઓ અને ઘોડેસવારોનો સમાવેશ થાય છે, જેઓ પોતાનું ગુજરાન ચલાવવા માટે આવે છે. માથેરાનના લોકો આરોપ લગાવી રહ્યા છે કે આમાંના કેટલાક ઘોડેસવારો પ્રવાસીઓને ગેરમાર્ગે દોરે છે અને છેતરે છે. અહીં આવેલા એક પ્રવાસીએ આ ઘટના વિશે સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરી હતી. જેના કારણે નકારાત્મક પ્રતિક્રિયાઓ આવી હતી.

Parbhani Temple Tragedy મહારાષ્ટ્રના પરભણીમાં હનુમાન મંદિરની છત પ્રસાદ લેતા ભક્તો પર તૂટીને પડી, આટલા શ્રદ્ધાળુઓના મોત
Weather Prediction Conflict વરસાદની આગાહી મુદ્દે વિજ્ઞાન જાથા અને અંબાલાલ પટેલ આમનેસામને; વિજ્ઞાન વિરુદ્ધ જ્યોતિષની લડાઈ તેજ
Maharashtra Politics Crisis મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો શિવસેના બાદ હવે NCP (શરદ પવાર જૂથ) માં પણ બળવાની આશંકા, ૫ સાંસદો સંપર્કમાં હોવાનો દાવો
Indian Official Appointed as FATF Vice President FATF માં ભારતનો દબદબો, પ્રથમ વખત ભારતીય અધિકારી વિવેક અગ્રવાલ બન્યા ઉપાધ્યક્ષ
Exit mobile version