મથુરા જન્મભૂમિ કેસ: કોર્ટે આપ્યા તમામ પક્ષકારોને આ મહત્વના નિર્દેશ, જુલાઈમાં સુનાવણી થવાની શક્યતા

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મથુરા જન્મભૂમિ કેસમાં(Mathura Janmabhoomi case) આજે સિવિલ કોર્ટમાં(Civil Court) સુનાવણી હાથ ધરવામાં આવી. 

સુનાવણી બાદ કોર્ટે આ મામલામાં તમામ પક્ષકારોને(parties) અરજી પર વહેલી તકે જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે.

કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે તમામ પક્ષકારોના જવાબ દાખલ કર્યા પછી જ આગામી સુનાવણી થશે. 

તમામ પક્ષકારોને પિટિશનની કોપી(Copy of petition) મોકલવા જણાવાયું છે. જે બાદ હવે એવું માનવામાં આવી રહ્યું છે કે કેસની આગામી સુનાવણી જુલાઈના પહેલા સપ્તાહમાં થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે મથુરાની એક અદાલતે શાહી ઈદગાહ મસ્જિદને(Shahi Idgah Mosque) હટાવવાની માગણી કરતી એક પીટિશનનો સ્વીકાર કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો : હનુમાન ચાલીસા વિવાદને લઈને ચર્ચામાં આવેલા આ સાંસદને મળી જાનથી મારી નાખવાની ધમકી, દિલ્હી પોલીસે FIR નોંધી; તપાસ હાથ ધરી… 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More