Site icon News Continuous Bureau | Mumbai

રામ મંદિર નિર્માણ માટે 54 વખત લીધી ભૂસમાધી, કરોડો દિપ પ્રગટાવ્યા.. મૌની સ્વામીની તપસ્યા ફળી..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

04 ઓગસ્ટ 2020

અયોધ્યામા ભગવાન રામનું મંદિર બને એ માટે બાબુગંજ સાંગરા આશ્રમના પીઠાધીશ્વર મૌની સ્વામી છેલ્લા 29 વર્ષથી સતત સખત ધ્યાન કરી રહ્યા છે. હવે જ્યારે 5 મી ઓગસ્ટ એ તેમની તપસ્યાનું ફળ મળવાનું છે, ત્યારે તેઓ ખૂબ ઉત્સાહિત છે. સંન્યાસ લેતાંની સાથે જ જોયેલું સપનું હવે વાસ્તવિક રૂપ લેશે. આવી સ્થિતિમાં, મૌની સ્વામી પણ 5 ઓગસ્ટે ભગવાન શ્રી રામના મંદિરના ભૂમિપૂજનની ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા જઈ રહ્યા છે. મૌની સ્વામીની ઓળખ ફાયર બ્રાન્ડ સંત તરીકે થાય છે. મૌની સ્વામીની સાથે જ તેમનો આશ્રમ પણ રામ મંદિર આંદોલનનું પ્રતીક રહ્યું છે.

 છેલ્લા 29 વર્ષોથી, મૌની સ્વામી ખુદ ભગવાન શ્રી રામના મંદિરના નિર્માણ માટે સખત તપશ્ચર્યા કરી રહયાં હતાં. રામ મંદિરની માંગને લઈ અત્યાર સુધીમાં 54 વાર ભુમિ સમાધિ, 17 વાર જળ સમાધિ સાથે જ, 1488 વાર સુતાં સુતાં પરિક્રમા કરી ચૂક્યાં છે. રામલલ્લા માટે પોતાના આશ્રમમાં 3 કરોડ 88 લાખથી વધુ દીવા સળગાવી ચૂક્યાં છે. મૌની સ્વામીએ પાંચ વર્ષ પહેલાં, રામ મંદિર બને એવી કામના સાથે , દરેક ત્રાસ સહન કરી 84 કોસી પરિભ્રમણ પણ કરી ચૂક્યાં છે. જ્યારથી રામ મંદિર નિર્માણના ભૂમિ પૂજનની તારીખ નક્કી થઈ છે બાબાના આશ્રમમાં પણ ખૂબ ઉત્તેજનાનું વાતાવરણ છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/30Ze56i 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version