અશોક ગેહલોતની મુશ્કેલી વધી. 6 બાગી વિધાયક વિરુદ્ધ માયાવતી કોર્ટમાં પહોંચ્યા..

by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

29 જુલાઈ 2020

રાજસ્થાનની ગેહલોત સરકારને ઘેરવાની કવાયત તીવ્ર બની છે. હવે બહુજન સમાજ પાર્ટી (બસપા) એ રાજસ્થાન હાઇકોર્ટમાં પોતાના છ ધારાસભ્યોના કોંગ્રેસમાં ભળી જવા વિરુધ્ધ અરજી કરી છે. આ અરજીમાં ધારાસભ્યોના મર્જરને પડકારવામાં આવ્યું છે.

બસપાના ધારાસભ્યો લખનસિંહ (કારૌલી), રાજેન્દ્રસિંહ ગુધા (ઉદયપુરવાટી), દીપચંદ ખેડિયા (કિશનગgarh બાસ), જોગેન્દ્રસિંહ અવના (નાદબાઇ), સંદીપ કુમાર (તિજારા) અને વજીબ અલી (નગર, ભરતપુર) કોંગ્રેસમાં જોડાયા હતા. માયાવતીએ અનેક વખત બસપાના ધારાસભ્યોના કોંગ્રેસમાં જોડાણનો વિરોધ કર્યો છે.

 બસપા અધ્યક્ષ માયાવતીએ ગઈકાલે કહ્યું હતું "બસપા અગાઉ પણ કોર્ટમાં જઇ શકતી હતી, પરંતુ અમે એવા યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા હતા જ્યારે અશોક ગેહલોત અને કોંગ્રેસને પાઠ ભણાવી શકાય." 

માયાવતીએ કહ્યું કે "રાજસ્થાનની ચૂંટણી બાદ કોંગ્રેસને બિનશરતી ટેકો આપ્યો હતો, પરંતુ કમનસીબે સીએમ અશોક ગેહલોતે બસપાને નુકસાન પહોંચાડવા માટે અમારા બધા ધારાસભ્યોને તેમના પક્ષમાં ભેળવી દીધાં."

નોંધનીય છે કે અગાઉ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના ધારાસભ્ય મદન દિલાવરે પણ બસપાના ધારાસભ્યોના કોંગ્રેસમાં જોડાણ વિરુદ્ધ રાજસ્થાન હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેને સોમવારે હાઈકોર્ટે ફગાવી દીધી હતી…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/30Ze56i 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More