Site icon News Continuous Bureau | Mumbai

Meerut Stampede: મેરઠમાં શિવ મહાપુરાણ કથામાં નાસભાગ, અનેક મહિલાઓ ઘાયલ..

Meerut Stampede: આજે પંડિત પ્રદીપ મિશ્રાની શિવપુરાણ કથાનો છેલ્લો દિવસ હતો. આ દરમિયાન હજારોની સંખ્યામાં લોકો કથા સાંભળવા આવ્યા હતા. એન્ટ્રી ગેટ પર હોબાળો મચ્યા બાદ નાસભાગ મચી ગઈ હતી. આમાં ઘણા લોકો ઘાયલ થયા છે, જેમાં મોટાભાગની મહિલાઓ છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વીઆઈપી વિસ્તારમાં પ્રવેશવા માટે ગેટ પર નાસભાગ મચી ગઈ હતી.

Meerut Stampede Shiv Mahapurana Katha crowd out of control, 4 women injured In Meerut

Meerut Stampede Shiv Mahapurana Katha crowd out of control, 4 women injured In Meerut

 News Continuous Bureau | Mumbai

 Meerut Stampede: ઉત્તર પ્રદેશના મેરઠમાં પંડિત પ્રદીપ મિશ્રાની કથા દરમિયાન નાસભાગ મચી ગઈ છે. આ દરમિયાન ચાર મહિલાઓ ઘાયલ થઈ હોવાના અહેવાલ છે. પરતાપુરના મેદાનમાં છેલ્લા પાંચ દિવસથીશિવ મહાપુરાણની કથા ચાલી રહી હતી.  અને આજે છેલ્લો દિવસ હતો. પ્રાથમિક માહિતી મુજબ કથાના અંતિમ દિવસે પોલીસ દ્વારા કોઈ યોગ્ય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી ન હતી. ઘટનાની માહિતી મળ્યા બાદ પ્રશાસન અને પોલીસની ટીમ ઘટનાસ્થળે હાજર છે.

Join Our WhatsApp Channel

Meerut Stampede:  વીઆઈપી એરિયામાં જતા સમયે ગેટ પર ભીડ કાબૂ બહાર થઈ

કહેવામાં આવી રહ્યું છે કે પંડાલના વીઆઈપી એરિયામાં જતા સમયે ગેટ પર ભીડ કાબૂ બહાર થઈ ગઈ હતી અને ભાગદોડ મચી ગઈ હતી. આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયા છે, જેમાં મોટાભાગની મહિલાઓ છે. હાથરસમાં સૂરજ પાલ ઉર્ફે ભોલે બાબાના સત્સંગમાં 120થી વધુ લોકોના મોત બાદ ફરી આવો અકસ્માત સર્જાવાથી મોટા સવાલો ઉઠી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો  : Maharashtra politics : છગન ભુજબળ બાદ એનસીપીના વધુ એક ધારાસભ્ય નારાજ; મંત્રી પદ ન મળતા તેઓ સત્ર છોડીને પરત ફર્યા; અજીત પવારનું વધ્યું ટેન્શન..

 Meerut Stampede:  પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા 

મળતી માહિતી મુજબ બાઉન્સરો દ્વારા રોકવામાં આવતા નાસભાગ મચી ગઈ હતી. દરરોજ એક લાખથી વધુ લોકો કથાના દર્શન કરી રહ્યા છે. નાસભાગની માહિતી મળતા જ પોલીસ પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.  જણાવી દઈએ કે છેલ્લા 6 દિવસથી મેરઠના પરતાપુર વિસ્તારમાં શિવ મહાપુરાણની કથા ચાલી રહી છે.

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version