News Continuous Bureau | Mumbai
MY Bharat Portal: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા શરૂ કરાયેલ MYBharat પોર્ટલનો આઉટરીચ વધારવા માટે 1લી ઓક્ટોબર 2024ના રોજ ગાંધીનગર સચિવાલય ખાતે શ્રીમતી મીતા રાજીવલોચન ( Meeta Rajivlochan ) , IAS (માનનીય સચિવ, યુવા બાબતોના વિભાગ, ભારત સરકાર)ની અધ્યક્ષતામાં એક બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠકમાં શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, રાષ્ટ્રીય આરોગ્ય મિશન વિભાગ અને ગુજરાત સરકારના ( Gujarat Government ) યુવા બાબતો અને રમતગમત વિભાગના સહકાર અને સહયોગ દ્વારા યુવાનોમાં પોર્ટલની પહોંચ વધારવાની ચર્ચા અને વ્યૂહરચનાઓ સામેલ હતી.
આ સમાચાર પણ વાંચો : Vibrant Navratri Festival 2024: GMDC-અમદાવાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે કરાશે ‘વાયબ્રન્ટ નવરાત્રી ફેસ્ટિવલ-૨૦૨૪’નો શુભારંભ, આ થીમ પર યોજાશે સાંસ્કૃતિક કાર્યક્રમ.
આ બેઠકમાં ધનંજય દ્વિવેદી, IAS (અગ્ર સચિવ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ), અશ્વની કુમાર, IAS (અગ્ર સચિવ, શહેરી વિકાસ વિભાગ અને યુવા બાબતોના વિભાગ), રાજકુમાર બેનીવાલ, IAS (કમિશ્નર નગરપાલિકાઓ ) મિસ રેમ્યા મોહન, IAS (મિશન ડિરેક્ટર, NHM ગુજરાત), આલોક કુમાર પાંડે, IAS (કમિશનર યુથ અફેર્સ), જે.એન. વાઘેલા (કમિશનર ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન), દુષ્યંત ભટ્ટ (રાજ્ય નિયામક NYKS ગુજરાત) અને NYKS, MYBHARAT ના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.