News Continuous Bureau | Mumbai
MEMU Train : માનનીય સાંસદ શ્રીમતી રમીલાબેન બારા અને માનનીય ધારાસભ્ય શ્રી વિનેન્દ્રસિંહ ઝાલા દ્વારા ગણમાન્ય અતિથિઓ ની ઉપસ્થિતિમાં 19 એપ્રિલ 2025 ના રોજ હિંમતનગર સ્ટેશન પર અસારવા-ચિત્તોડગઢ ડેમુ થી મેમૂ માં પરિવર્તિત ટ્રેનને લીલી ઝંડી આપી રવાના કરી. આ પ્રસંગે મંડળ રેલ પ્રબંધક શ્રી સુધીર કુમાર શર્મા, વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અનૂ ત્યાગી અને અન્ય રેલ્વે અધિકારીઓ, કર્મચારીઓ અને મીડિયા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
પશ્ચિમ રેલ્વે દ્વારા ટ્રેન સંખ્યા 79403/04 અસારવા-ચિત્તોડગઢ-અસારવા ડેમુ અને ટ્રેન સંખ્યા 079401/02 અસારવા-હિંમતનગર-અસારવા ડેમુ ટ્રેનો ને મેમુ ટ્રેન માં પરિવર્તિત કરવામાં આવી છે. જેની વિગતો નીચે મુજબ છે:
1. ટ્રેન સંખ્યા 79403/79404 અસારવા-ચિત્તોડગઢ-અસારવા ડેમુ ને મેમૂ માં પરિવર્તિત ટ્રેન સંખ્યા 69243/69244 અસારવા-ચિત્તોડગઢ-અસારવા મેમૂ 19 એપ્રિલ 2025 થી અસારવા થી અને 20 એપ્રિલ 2025 થી ચિત્તોડગઢ થી ચાલશે.
2. ટ્રેન સંખ્યા 79401/79402 અસારવા-હિંમતનગર-અસારવા ડેમુ ને મેમૂ માં પરિવર્તિત ટ્રેન સંખ્યા 69245/69246 અસારવા-હિંમતનગર-અસારવા મેમૂ 20 એપ્રિલ 2025 થી અસારવા થી અને 21 એપ્રિલ 2025 થી હિંમતનગર થી ચાલશે.
આ સમાચાર પણ વાંચો :Lion Counting Gujarat : ગુજરાતમાં સંભવિત તા.૧૦ થી ૧૩, મે દરમિયાન બે તબક્કામાં યોજાશે એશિયાઈ સિંહની વસ્તી ગણતરી
મેમૂ ટ્રેનો માં ઇલેક્ટ્રિક એન્જિનનો ઉપયોગ થાય છે, જે ડીઝલ એન્જિન ની તુલનામાં ઓછું પ્રદૂષણ ઉત્પન્ન કરે છે. તે પરિવહન દરમિયાન કાર્બન ઉત્સર્જન ઘટાડે છે, જેનાથી વાતાવરણીય પ્રદૂષણ ઓછું થાય છે. મેમૂ ટ્રેનોનું સંચાલન વધુ પર્યાવરણને અનુકૂળ છે અને સતત વિકાસ ની દિશામાં એક પગલું છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.