Site icon

ખગોળીય ઘટના.. બુધ ગ્રહ પરથી તૂટીને ગુજરાતમાં પડી હતી ઉલ્કાપિંડ, 170 વર્ષ બાદ જોવા મળી આવી ઘટના

ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં ગુજરાતના બનાસકાંઠામાં ઉલ્કાઓ પડી હતી. રાંટીલા ગામના રહેવાસીઓ અનુસાર, 15 ઓગસ્ટના રોજ જ્યારે આ ઘટના બની ત્યારે ત્યાં જોરદાર વિસ્ફોટ થયો હતો. એવું લાગ્યું કે જાણે કોઈ વિમાન ત્યાંથી પસાર થયું હોય.

Meteorite that fell in Gujarat in August rare aubrite seen last 170 years back

ખગોળીય ઘટના.. બુધ ગ્રહ પરથી તૂટીને ગુજરાતમાં પડી હતી ઉલ્કાપિંડ, 170 વર્ષ બાદ જોવા મળી આવી ઘટના

News Continuous Bureau | Mumbai

ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં ગુજરાતના બનાસકાંઠામાં ઉલ્કાઓ પડી હતી. રાંટીલા ગામના રહેવાસીઓ અનુસાર, 15 ઓગસ્ટના રોજ જ્યારે આ ઘટના બની ત્યારે ત્યાં જોરદાર વિસ્ફોટ થયો હતો. એવું લાગ્યું કે જાણે કોઈ વિમાન ત્યાંથી પસાર થયું હોય. આ ઉલ્કા લીમડાના ઝાડ પર પડી હતી. જેના કારણે વૃક્ષ ખરાબ રીતે તૂટીને જડમૂળથી ઉખડી ગયું હતું. ઘોંઘાટ શમી ગયા પછી ઘરની બહાર નીકળેલા ગ્રામજનોએ બસો ગ્રામથી માંડીને અડધા કિલો સુધીના ટુકડા ભેગા કર્યા હતા. આ પ્રકારની ખગોળીય ઘટના લગભગ 170 વર્ષ પછી જોવા મળી છે. અગાઉ આ પ્રકારની ખગોળીય ઘટના 1852માં જોવા મળી હતી. ઈન્ડિયન એકેડમી ઓફ સાયન્સ પીઅર રિવ્યુડ જર્નલમાં પ્રકાશિત થયેલા અહેવાલમાં આ વાત સામે આવી છે.

Join Our WhatsApp Community

મીડિયામાં પ્રકાશિત અહેવાલ મુજબ વૈજ્ઞાનિકોએ તેમના સંશોધનના આધારે કહ્યું છે કે આ ઉલ્કા પિંડમાં એન્સાઇટ નામના ખનિજ તત્વ ભરેલા હતા. સામાન્ય રીતે આવા ગુણધર્મો ધરાવતા ખનિજ તત્વો બુધ ગ્રહની સપાટી પર જોવા મળે છે. આ અહેવાલ મુજબ, ભારતીય ઉપખંડમાં આવી ઉલ્કા પડવાનો પહેલો કિસ્સો 1852માં આવ્યો હતો. તે સમયે ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં ઉલ્કાઓ પડી હતી. સંશોધકોએ તેમના રિસર્ચ અહેવાલમાં જણાવ્યું છે કે આવી ઉલ્કાઓ ખૂબ જ દુર્લભ છે. સામાન્ય રીતે આવી ઉલ્કાઓ એવી હોય છે કે તે સૌરમંડળની મોટી ઉલ્કાઓથી અલગ થઈ જાય છે. વૈજ્ઞાનિકોના મતે આ નાની ઉલ્કાઓ ખૂબ જ ચમકદાર હોય છે. આમાં, ઓક્સિજન કાંતો નથી અથવા તે ખૂબ જ ઓછી માત્રામાં છે.

આ સમાચાર પણ વાંચો : અદાણી પર રિપોર્ટ આપીને પ્રસિદ્ધ થઈ ગયા હિંડનબર્ગના સ્થાપક એન્ડરસન, થોડા જ દિવસોમાં ઓળખવા લાગ્યું આખું વિશ્વ

ઉલ્કાઓ વિદેશી ખનિજોથી બનેલી હોય છે

વૈજ્ઞાનિકોના મતે ગુજરાતના બનાસકાંઠામાં પડેલી ઉલ્કાપિંડમાં અનેક પ્રકારના એક્ઝોટિક મિનરલ હતા. આ પ્રકારના મિનરલ પૃથ્વી પરથી મળવા અશક્ય છે. આ પ્રકારના ગુણોવાળા મિનરલ સામાન્ય રીતે બુધ ગ્રહની સપાટી પરથી મળે છે. વૈજ્ઞાનિકોએ તેમના રિસર્ચ પેપરમાં દાવો કર્યો છે કે આ ઘટના ભવિષ્યમાં થનારી ખગોળીય ઘટનાઓને જોવા અને સમજવામાં ઘણી મદદ કરશે.

Pawar Family Conflict: સુનેત્રા પવારના શપથગ્રહણથી શરદ પવાર અજાણ હોવાનો દાવો, બારામતીમાં વધતી રાજકીય હલચલ
Sunetra Pawar: કોણ છે સુનેત્રા પવાર? જેઓ મહારાષ્ટ્રના પ્રથમ મહિલા ડેપ્યુટી CM બનીને રચશે ઈતિહાસ; જાણો તેમના અભ્યાસ અને સામાજિક કાર્યો વિશેની વિગતો
Sunetra Pawar: સુનેત્રા પવારને ઉપમુખ્યમંત્રી (Deputy CM) બનાવવામાં આટલી ઉતાવળ કેમ? જાણો શું છે અસલી રમત
Ajit Pawar Plane Crash: રાજ્ય સરકારનો મોટો નિર્ણય, CID તપાસના અપાયા આદેશ; અકસ્માત પાછળના રહસ્ય પરથી ઉઠશે પડદો
Exit mobile version