Site icon

મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી સરકાર પર વાદળ છવાયાં.. બોલો !! ચૂંટણી આવતાં જ શિવસેનાને સંભાજીની યાદ આવી.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Community

05 જાન્યુઆરી 2021 

કોલ્હાપુર અને ઔરંગાબાદ મનપા ચૂંટણીમાં મહારાષ્ટ્ર સરકારના ત્રણેય પક્ષો એકબીજા સામે ઉગ્ર નિવેદનો આપી રહ્યા છે. કોલ્હાપુરમાં મહાવીકાસ આઘાડીના નેતાઓ એક બીજાની સામે નિવેદનો આપી રહ્યા છે. 

શિવસેનાએ ઔરંગાબાદ જિલ્લાનું નામ સંભાજીનગર રાખવાની માંગ કરી છે, પરંતુ કોંગ્રેસે આ પ્રસ્તાવને ખુલ્લેઆમ ફગાવી દીધો છે અને એનસીપી વિરોધ કરી રહ્યું છે. બીજી તરફ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીની ઘોષણા પૂર્વે જ સામ-સામે આવી ગયા છે. કોલ્હાપુર અને ઔરંગાબાદ આ વિવાદનો મુદ્દો બન્યો છે. 

 

આવી સ્થિતિમાં શિવસેનાએ ફરી એકવાર નામ બદલવાની દરખાસ્ત કરી છે, જેને જિલ્લા કલેક્ટર દ્વારા રાજ્ય સરકારને મોકલવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે મહાકવિસ આગડી સરકારની આગામી પરીક્ષા સ્થાનિક બોડી અને ઔરંગાબાદના નામ બદલવાના મુદ્દાઓ પર હશે. 

 

કોમન મિનિમમ પ્રોગ્રામ અંતર્ગત ત્રણેય પક્ષો દ્વારા એક સાથે મહાવિકાસ આઘાડીની સ્થાપના કરવામાં આવી હતી. તેમાં શહેરોનાં નામ બદલવાનો કોઈ એજન્ડા જ નહોતો. આને લઈ એનસીપી, શિવસેના અને કોંગ્રેસે ઘણાં નિવેદનો આપ્યાં હતાં કે તેઓ આ ચૂંટણી મળીને લડશે.  

 

હવે તે મામલો નિરાશ થતો જણાય છે. કોલ્હાપુર અને  ઔરંગાબાદ મનપા ચૂંટણીમાં ત્રણેય પક્ષો એકબીજા સામે ઉગ્ર નિવેદનો આપી રહ્યા છે. કોલ્હાપુરમાં મહાવિકાસ આઘાડી ટીમમાં સમાવિષ્ટ મંત્રીઓના નિવેદનો એક બીજાની સામે આવી રહ્યા છે. આના પરથી કહી શકાય કે ત્રણે પક્ષઓ ત્રણ દિશામાં જઈ રહયાં છે અને આનો ઉકેલ આવવો મુશ્કેલ છે.

 

Kalyan-Dombivli Politics: નગરસેવકો ગાયબ કે હાઈજેક? કલ્યાણ-ડોમ્બિવલીમાં ઉદ્ધવ જૂથના ૪ નેતાઓ લાપતા થતા મચ્યો હડકંપ; કાર્યકરોએ નોંધાવી ફરિયાદ
Maharashtra Weather Update: મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદની આફત: મુંબઈ અને નવી મુંબઈમાં મેઘરાજાની એન્ટ્રી,જાણો હવામાન વિભાગની આગાહી
Republic Day 2026:દેશદ્રોહી પન્નુની વધુ એક નાપાક હરકત: લાલ કિલ્લા પર ધ્વજવંદન રોકવા કરી ઉશ્કેરણી; દિલ્હીમાં FIR દાખલ, એજન્સીઓ એલર્ટ.
Ladki Bahin Yojana Update: લાડકી બહેન યોજનામાં ટેકનિકલ ખામી? હવે ઘરે બેઠા થશે ઉકેલ; મંત્રી અદિતિ તટકરેએ લોન્ચ કરી ખાસ સુવિધા, જાણો વિગત.
Exit mobile version