Mid Day Meal : લ્યો બોલો.. શાળાના મિડ-ડે મીલમાં બટાકુ શોધતા રહી ગયા મંત્રી, નર્યું પાણીદાર શાક.. જુઓ વિડીયો..

sub HL - Mid Day Meal : મંત્રી શાળાના બાળકો સાથે મધ્યાહ્ન ભોજન લેવા બેઠા હતા, પરંતુ બટાકા લેવા ભાજીની ડોલમાં ચમચો ફેરવતાની સાથે જ તે ચમચો બટાકા વગર પાછો આવી ગયો હતો. મંત્રી બટાકાની ડોલમાંથી બટાટા કાઢવાનો પ્રયાસ કરતા રહ્યા, પરંતુ સફળ ન થયા. આ પછી મંત્રી ચૂપચાપ ખાવા લાગ્યા. જો કે સ્થળ પરથી જ તેમણે જિલ્લા પંચાયતના સીઈઓને મધ્યાહન ભોજનની ગુણવત્તા અંગે સૂચનાઓ પણ આપી હતી.

by kalpana Verat
Mid Day Meal Madhya Pradesh Minister Pradhuman Singh Tomar Spotted Finding Aloo In Watery Gravy Served As Mid-Day

 News Continuous Bureau | Mumbai

Mid Day Meal :  ક્યારેક સ્ટ્રીટ વેન્ડર પાસે નાસ્તો કરીને, ક્યારેક ગટરની સફાઈ કરીને તો ક્યારેક ટ્રાન્સફોર્મર પર ઝાડ પરથી વેલા હટાવતા મધ્યપ્રદેશ સરકારના ઉર્જા મંત્રી પ્રદ્યુમન સિંહ તોમર હંમેશા ચર્ચામાં રહે છે. ફરી એકવાર તેમનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે સરકારી શાળામાં તૈયાર કરવામાં આવતી મિડ-ડે મીલ ડીશમાં બટાટા શોધતા જોવા મળ્યા હતા  અને તેમણે મીડ ડે મિલનો સ્વાદ પણ ચાખ્યો હતો.

Mid Day Meal :  જુઓ વિડીયો 

 

Mid Day Meal :  ઉર્જા મંત્રીએ મધ્યાહન ભોજનની ગુણવત્તા ચકાસી 

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં બાળકોને પીરસવામાં આવતા મીડ ડે મિલ એટલે કે મધ્યાહન ભોજનનો પર્દાફાશ થયો છે. ઉર્જા મંત્રી પ્રદ્યુમન સિંહ તોમર  શાળાનું ઓચિંતું નિરીક્ષણ કરવા આવ્યા હતા. ઓચિંતી તપાસ દરમિયાન મંત્રીની સામે ભોજનની ગુણવત્તાનો પર્દાફાશ થયો હતો. બપોરે સરકારી શાળામાં પહોંચેલા ઉર્જા મંત્રીએ મધ્યાહન ભોજનની ગુણવત્તા ચકાસવાનું નક્કી કર્યું હતું. મંત્રીની સામે બટાકાની ભાજી પીરસવામાં આવી હતી. જોકે આશ્ચર્યની વાત એ છે કે મંત્રી શાકભાજી ભરેલી ડોલમાં બટાટા શોધતા જ રહી ગયા.

Mid Day Meal :  ભાજીમાં નીકળ્યો કચરો 

મહત્વનું છે કે મંત્રીની સાથે સમર્થકો પણ પહોંચ્યા હતા. તેમાંથી એક સમર્થકે ભાજીમાં કચરો જોયો. તેણે ચમચા વડે કચરો બહાર કાઢ્યો અને ફેંકી દીધો. બાળકોને પીરસવામાં આવતા ભોજનમાં અનિયમિતતા જોઈને મંત્રી પણ થોડો સમય આશ્ચર્યમાં પડી ગયા હતા. સાથે જ તેઓને દાળની ગુણવત્તા જોઈને ચોંકી ગયા, કારણ કે પાણી જેટલી પાતળી દાળ બાળકોને પીરસવામાં આવી રહી હતી. આ પછી મંત્રીએ રોટલી લીધી અને ખાવાનું શરૂ કર્યું. 

આ સમાચાર પણ વાંચો :  Andhericha Raja Visarjan : મોટી દુર્ઘટના ટળી, અંધેરીચા રાજા ગણપતિના વિસર્જન દરમિયાન બોટ પલટી; જુઓ વીડિયો

પત્રકારોએ બાળકોના ખોરાકની ગુણવત્તા અંગે પ્રશ્નો પૂછ્યા. મધ્યાહન ભોજનમાં ગેરરીતિ સ્વીકારવાને બદલે બહાનું કાઢ્યું હતું. મંત્રી પ્રદ્યુમન સિંહ તોમરે કહ્યું કે ભોજન ગરમ નથી. તેમણે કહ્યું કે સરકાર બાળકોનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. તેથી, તે મધ્યાહન ભોજનની ગુણવત્તા ચકાસવા માટે શાળાએ પહોંચ્યાં હતા. જણાવી દઈએ કે સરકાર મધ્યાહન ભોજન યોજના પર લાખો રૂપિયા ખર્ચે છે. આ યોજનાનો ઉદ્દેશ્ય બાળકોને પૌષ્ટિક આહાર આપવાનો અને સરકારી શાળાઓમાં હાજરી વધારવાનો છે. બાળકોના ખોરાકમાં અનિયમિતતા જોવા મળે છે ત્યારે સરકારના દાવાઓની પોલ ખુલી જાય છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More