લો બોલો!! મહારાષ્ટ્રમાં મંદિરો ખોલવાના મુદ્દે ઓવેસીની એમઆઈએમ અને શિવસેના સામ-સામે આવી ગઈ..

by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

02 સપ્ટેમ્બર 2020

એમઆઈએમ દ્વારા રાજ્યમાં તમામ ધાર્મિક સ્થળો ખોલવા અંગે આક્રમક વલણ અપનાવાઇ રહ્યું છે. આ માટે, એમઆઈએમ પક્ષ એક અભિયાન શરૂ કરશે અને મંદિરો તેમજ અન્ય ધાર્મિક સ્થળો ખોલવા માટે સરકારને નિવેદન આપશે. આ મુદ્દે વિગતવાર વાત કરતાં એમઆઈએમના ઔરંગાબાદના સાંસદ ઇમ્તિયાઝ જલીલે કહ્યું કે 'આજે મંદિર આવતી કાલે મસ્જિદ' ખોલવાનું અભિયાન કરવામાં આવશે. 

એમઆઈએમ ના આ વિધાન બાદ, એમઆઇએમ અને શિવસેના વચ્ચે મંદિરો ખોલવાના મુદ્દે વિવાદ વકરી રહ્યો છે. શિવસેનાના નેતા ચંદ્રકાંત ખૈરે ઉપરોકત મુદ્દા સંદર્ભે કહ્યું કે, અમે સરકાર પાસે મંદિરો ખોલવાની માંગ કરી છે અને મુખ્યમંત્રી આગામી થોડા દિવસોમાં નિર્ણયની ઘોષણા કરશે જ. તેથી, એમઆઈએમએ આ મુદ્દે રાજકારણ ન કરવું જોઈએ.” 

આમ હવે મંદિર ખોલવાના મુદ્દે શિવસેનાના અને અસદુદ્દીન ઓવેસીના પક્ષના એમએલએ સામ સામે આવી ગયાં છે. 

જલિલે સરકારને સંબોધતા કહ્યું કે 'મીશન બીગન અગેઈન'ના ચોથા તબક્કામાં ધાર્મિક સ્થળો ખોલવા અંગે કોઈ નિર્ણય લેવાયો ન હોવાથી એમઆઈએમએ આક્રમક વલણ અપનાવવું પડ્યું છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More