Site icon News Continuous Bureau | Mumbai

Mira-Bhayander: મીરા-ભાઇંદરના માથે પંઢરીનો ચાંદલો: 51 ફૂટની વિઠ્ઠલ મૂર્તિનું ઐતિહાસિક અનાવરણ!

પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકની સંકલ્પનાથી મીરા-ભાઇંદરના નવઘર તળાવ ખાતે 51 ફૂટની શ્રી વિઠ્ઠલની ભવ્ય મૂર્તિનું અનાવરણ થયું. આ સમારોહ શહેરની પ્રગતિ અને આધ્યાત્મિક ઉન્નતિનો નવો અધ્યાય સાબિત થયો છે.

Mira-Bhayander મીરા-ભાઇંદરના માથે પંઢરીનો ચાંદલો 51 ફૂટની વિઠ્ઠલ મૂર્તિનું

Mira-Bhayander મીરા-ભાઇંદરના માથે પંઢરીનો ચાંદલો 51 ફૂટની વિઠ્ઠલ મૂર્તિનું

News Continuous Bureau | Mumbai

Mira-Bhayander  મહારાષ્ટ્રની ભક્તિ પરંપરાનું કેન્દ્રબિંદુ, ભક્તોના ભાવવિશ્વનો આધારસ્તંભ, સમાનતા અને સામાજિક એકતાના માર્ગદર્શક એવા આપણા હૃદયમાં વસેલા વિઠ્ઠલ માઉલીનો દિવ્ય સ્પર્શ આજે મીરા-ભાઇંદર શહેરે પ્રત્યક્ષ અનુભવ્યો. આજે મહારાષ્ટ્ર રાજ્યના પરિવહન મંત્રી, ધારાસીવ જિલ્લાના પાલક મંત્રી અને મીરા-ભાઇંદરના નેતા મા. ના. શ્રી. પ્રતાપ ઇન્દિરાબાઈ બાબુરાવ સરનાઈકનાં દૃઢ સંકલ્પમાંથી સાકાર થયેલી 51 ફૂટની શ્રી વિઠ્ઠલની વિરાટ, ભવ્ય મૂર્તિનું અનાવરણ નવઘર તળાવ , ભાઇંદર (પૂર્વ) ખાતે સંપન્ન થયું.

Join Our WhatsApp Channel

નગર વિકાસના નવા અધ્યાયનો આરંભ

મીરા-ભાઇંદરના સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને સામાજિક ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોથી અંકિત થનારો આ દિવસ નગર વિકાસના નવા અધ્યાયનો આરંભ સાબિત થયો છે. વિકાસની ગતિ અને અધ્યાત્મનો સ્પર્શ – આ બંનેનું સુંદર સંતુલન સાધનારી મંત્રી સરનાઈકની કાર્યસંસ્કૃતિ દ્વારા શહેરને માત્ર માળખાકીય સુવિધાઓ જ નહીં, પરંતુ આત્માને ઉત્થાન આપનારી નવી ઓળખ પણ મળી છે.
વારકરી પરંપરા પર આધારિત આકર્ષક બસ સ્ટોપ (Bus Stop)
ભવ્ય વારકરી ચોક
સુસજ્જ વારકરી ભવન
અને હવે પંચાવન ગુણોની દિવ્યતાથી ઝળહળતી 51 ફૂટની વિઠ્ઠલની ભવ્ય મૂર્તિ
આ તમામ પ્રોજેક્ટ્સ મંત્રી સરનાઈકની દૂરંદેશી અને મીરા-ભાઇંદરને આધ્યાત્મિક પર્યટનના વૈશ્વિક નકશા પર લઈ જવાના મહત્વાકાંક્ષી ધ્યેયને દર્શાવે છે.

આ સમાચાર પણ વાંચો : NIA raids: દિલ્હી બ્લાસ્ટ કેસમાં NIAની એન્ટ્રી, લખનઉ સહિત ૮ સ્થળોએ દરોડા, મોટા ખુલાસાની શક્યતા.

મંત્રી પ્રતાપ સરનાઈકની ભાવના

આ અભૂતપૂર્વ શ્રી વિઠ્ઠલ મૂર્તિના અનાવરણ સમારોહ વિશે બોલતા મંત્રી સરનાઈકે કહ્યું કે,
“પંઢરીના વિઠ્ઠલરાય માત્ર દેવ નથી; તે સંસ્કૃતિ છે, પરંપરા છે, સૌના મિત્ર-સાથી છે. તે વિઠ્ઠલ માઉલીના આશીર્વાદ આપણા શહેર પર અખંડ રહે અને વિકાસની સાથે અધ્યાત્મ પણ મીરા-ભાઇંદરની વિશેષતા બને એ જ મારી ભાવના છે, એ જ પ્રેરણા લઈને થાણાની જેમ મીરા-ભાઇંદર શહેરમાં આજે 51 ફૂટની વિઠ્ઠલ મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે.શહેરનો વિકાસ માત્ર રસ્તાઓ અને ઈમારતોમાં જ નથી હોતો; તે લોકોની શ્રદ્ધા, સંસ્કૃતિ અને આત્મામાં હોય છે. પંઢરપુરના વિઠ્ઠલ પ્રત્યેની અપાર ભક્તિ આપણા શહેરમાં પણ જીવંત રહે અને આ શહેરને વિકાસની સાથે આધ્યાત્મિક સ્થિરતાની ઓળખ મળે, એ જ ઉદ્દેશથી આજે આ સમારોહ મીરા-ભાઇંદર શહેરમાં યોજવામાં આવ્યો. વિઠ્ઠલ માઉલીનો હાથ મીરા-ભાઇંદરના માથા પર હંમેશા રહે. આ જ મારી પ્રાર્થના, આ જ મારી જવાબદારી. હજારો નાગરિકોની હાજરીમાં, તાળ-ચિપળીઓના ગુંજારવમાં, હરિનામની ગર્જનામાં અને દિવ્ય રોશનીથી ઝળહળી ઉઠેલો આ સમારોહ શહેરના ઇતિહાસમાં અતુલનીય ભક્તિમહોત્સવ તરીકે કાયમ યાદ રહેશે.”

Maharashtra Weather Update મહારાષ્ટ્રમાં આગામી ૪૮ કલાક ભારે! હવામાન વિભાગ દ્વારા હાઇ એલર્ટ જાહેર, અનેક જિલ્લાઓમાં મુસળધાર વરસાદની આગાહી
Nashik Double Murder Suicide Attempt કૌટુંબિક વિવાદમાં પતિ બની ગયો રાક્ષસ, નાસિકમાં માદીકરાની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ..
MP Assembly Passes UCC Bill ઉત્તરાખંડ બાદ હવે મધ્યપ્રદેશમાં પણ UCC લાગુ વિપક્ષના ભારે હંગામા વચ્ચે મોહન યાદવ સરકારે પાસ કર્યું મોટું બિલ
Raj Thackeray Slams Modi Govt દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે રાજ ઠાકરે લાલચોળ PM મોદી અને BJP સરકાર પર સાધ્યું નિશાન
Exit mobile version