News Continuous Bureau | Mumbai
Mira Road Police Attack મુંબઈ નજીક મીરા રોડના કાશીમીરા વિસ્તારમાં ફરજ બજાવી રહેલા ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ પર હિંસક હુમલો કરનારા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. આ કેસના મુખ્ય આરોપી સહિત કુલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ કર્મચારીઓ પર હુમલો કરનારાઓમાં ડર પેદા કરવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પોલીસે તમામ આરોપીઓને કાશીમીરા વિસ્તારમાં જાહેરમાં પરેડ કરાવીને ફેરવ્યા હતા.આ ઘટના મુંબઈ-અમદાવાદ હાઈવે પર અમર પેલેસ નજીક કાશીમીરા ફ્લાયઓવર નીચે બની હતી. બે બાઇક સવારો વચ્ચે ચાલી રહેલા ઝઘડાને શાંત પાડવા ગયેલા ટ્રાફિક કોન્સ્ટેબલ પર ઉશ્કેરાયેલા શખ્સોએ હુમલો કર્યો હતો.
પોલીસની વર્દી ફાડવાનો પણ કર્યો હતો પ્રયાસ
ઝઘડો રોકવા ગયેલા પોલીસ કોન્સ્ટેબલ સાથે આરોપીઓએ માત્ર ગેરવર્તણૂક જ નહોતી કરી, પરંતુ તેમને બેરહેમીથી માર પણ માર્યો હતો. હુમલા દરમિયાન આરોપીઓએ પોલીસકર્મીનો યુનિફોર્મ ફાડવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેને પગલે પોલીસ વિભાગમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને આરોપીઓની તાત્કાલિક ધરપકડ માટે ચક્રો ગતિમાન કરાયા હતા.
ટેકનિકલ તપાસ અને બાતમીદારોની મદદથી ધરપકડ
કાશીમીરા પોલીસે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો અને ટેકનિકલ પુરાવાઓના આધારે તપાસ તેજ કરી હતી. બાતમીદારોની મદદથી પોલીસે મુખ્ય આરોપી અને તેના ત્રણ સાથીદારોને દબોચી લીધા હતા. આરોપીઓ વિરુદ્ધ સરકારી કામમાં અવરોધ ઊભો કરવો, હુમલો અને હુલ્લડ જેવી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ વીડિયો હવે કોર્ટમાં આરોપીઓ વિરુદ્ધ મજબૂત પુરાવો સાબિત થશે.
𝕄𝕀ℝ𝔸 ℝ𝕆𝔸𝔻 | @MBVVPOLICE Kashimira area of Mira Bhayandar, 4 people including the main accused who attacked a traffic police officer have been arrested by the police. The action was taken on March 13, 2026. The main accused is Abdulla Raien, along with three other… pic.twitter.com/3EiB5h8xjJ
— ℝ𝕒𝕛 𝕄𝕒𝕛𝕚 (@Rajmajiofficial) March 14, 2026
આ સમાચાર પણ વાંચો : Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
જાહેરમાં સરઘસ કાઢી પોલીસે આપ્યો કડક સંદેશ
ધરપકડ બાદ પોલીસે આરોપીઓને એ જ લોકેશન પર લઈ જઈને જાહેરમાં પરેડ કરાવી હતી જ્યાં તેમણે કોન્સ્ટેબલ પર હુમલો કર્યો હતો. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ સમાજમાં એ સંદેશ આપવાનો હતો કે ઓન-ડ્યુટી પોલીસ અધિકારીઓ પર હુમલો કરનાર કોઈ પણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં. પોલીસની આ કડક કામગીરીને સ્થાનિક લોકોએ બિરદાવી હતી અને પરેડ જોવા માટે મોટી ભીડ ઉમટી પડી હતી.
