Site icon

મહારાષ્ટ્રના આ જિલ્લામાં ભાજપ અને મનસેની યુતિઃ ભાજપે યુતિ કરવા કરી બાંધછોડ;જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 28, સપ્ટેમ્બર  2021

Join Our WhatsApp Community

મંગળવાર

પાલઘરમાં જિલ્લા પરિષદ, પંચાયત સમિતિની પેટાચૂંટણી થવાની છે. ત્યારે પાલઘર જિલ્લાના વાડા તાલુકામાં ભાજપ અને મનસેએ યુતિ કરી છે. અહીં ઉલ્લેખનીય છે કે મનસે પહેલાથી જ મહારાષ્ટ્રમાં પરપ્રાંતિઓના મુદ્દા પર લડી રહ્યું છે ત્યારે ભાજપે મનસે સાથે યુતિ કરવા માટે પરપ્રાંતિઓનો મુદ્દો બાજુ પર રાખવાનો આગ્રહ રાખતી હતી. તેથી ભાજપ અને મનસેની યુતિ થવાનું અશક્ય જણાતું હતું. જોકે, રાજકારણમાં કોઈ કોઈનો સગો નથી હોતો એમ રાજકારણમાં કોઈ નીતિ – નિયમ પણ હોતા નથી.

હેં! આ રાજ્યમાં ભાજપે આપ્યું કોંગ્રેસને સમર્થન;જાણો વિગત

પાલઘરમાં જિલ્લાપરિષદ, પંચાયત સમિતિની પેટાચૂંટણી થઈ રહી છે તેમાં વાડા તાલુકામાં  ભાજપે વગર કોઈ શરતે મનસે સાથે યુતિ કરી નાખી છે. પાલઘરના ભાજપ અધ્યક્ષ નંદકુમાર પાટીલના કહેવા મુજબ જિલ્લામાં અન્ય સ્થળે યુતિ કરવા માટે ચર્ચા ચાલી રહી છે. પાલઘર બાદ હવે આગામી વર્ષે પુણે મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ ભાજપ સાથે યુતિ કરવાની ઈચ્છા મનસેના નેતાઓ વ્યક્ત કરી રહ્યા છે. જો પુણેમાં યુતિ થઈ જાય તો આગામી વર્ષે મુંબઈ મહાનગરપાલિકાની થનારી ચૂંટણી માટે પણ મનસે-ભાજપની યુતિ જાય એવી ચર્ચા રાજકીય સ્તરે થઈ રહી છે. જોકે મનસે જયા સુધી પરપ્રાંતીયનો મુદ્દો  પકડીને બેઠી છે ત્યાં સુધી ભાજપ અને મનસેની યુતિ શક્ય ન હોવાનું ભાજપના અગ્રણી નેતાનું કહેવું છે.

Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
LPG Shortage in Maharashtra: ગેસ સંકટનો મારો! છાણાના ભાવ સોનાને આંબ્યા; હોટલ માલિકોએ હાઈ-ટેક રસોડા છોડી અપનાવ્યા દેશી ચુલા.
Exit mobile version