Site icon News Continuous Bureau | Mumbai

NCP માં હાઈવોલ્ટેજ ડ્રામા, MNS વડા રાજ ઠાકરેએ અનોખી રીતે સાધ્યું નિશાન, આ નેતાનું બનાવ્યું વ્યંગચિત્ર.. જુઓ વિડીયો..

NCP માં હાઈવોલ્ટેજ ડ્રામા, MNS વડા રાજ ઠાકરેએ અનોખી રીતે સાધ્યું નિશાન, આ નેતાનું બનાવ્યું વ્યંગચિત્ર.. જુઓ વિડીયો..

mns chief raj thackeray draw ncp ajit pawar cartoon at pune event on world cartoonist day

News Continuous Bureau | Mumbai

MNS વડા રાજ ઠાકરે રાજકારણી તરીકે દેશમાં પ્રખ્યાત છે. પરંતુ, તેઓ કાર્ટૂનિસ્ટ તરીકે પણ જાણીતા છે. તેમણે NCP પ્રમુખ શરદ પવારના રાજીનામા બાદ પાર્ટીમાં ચાલી રહેલા આંતર-પાર્ટી ડ્રામા પર કાર્ટૂન દ્વારા ટિપ્પણી કરી છે. પુણેમાં આજે વિશ્વ કાર્ટૂન દિવસ નિમિત્તે કાર્ટૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેસ્ટિવલના ઉદ્ઘાટન માટે રાજ ઠાકરેને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ત્યારે રાજ ઠાકરેએ દોરેલું એક કાર્ટૂન હાલ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની રહ્યું છે. પુણેના બાલગંધર્વ ખાતે યુવા સંવાદ સંસ્થા દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજકોએ તેમને કાર્યક્રમના પ્રસંગે કાર્ટૂન દોરવા વિનંતી કરી. ત્યારબાદ રાજ ઠાકરેએ અજિત પવારનું વ્યંગ ચિત્ર દોર્યું હતું.

Join Our WhatsApp Channel

રાજ્યના રાજકારણમાં શરદ પવારની નિવૃત્તિની જાહેરાત બાદ રાજકીય વાતાવરણ ગરમાયું છે અને NCPના પદાધિકારીઓ, કાર્યકરો અને નેતાઓ પણ આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. જો કે, અજિત પવારે શરદ પવારના નિર્ણયને સમર્થન આપ્યું હતું અને કાર્યકર્તાઓને કહ્યું હતું તેવું જોવા મળ્યું હતું. તેથી, અજિત પવાર વર્તમાન બાબતોના કેન્દ્રમાં છે. અહીંના કલાકારોએ વર્તમાન પરિસ્થિતિ પર ટિપ્પણી કરતું કાર્ટૂન દોરવાનો આગ્રહ કર્યો. ત્યારબાદ, કલાકારોના આગ્રહ પર રાજ ઠાકરેએ કાર્ટૂન દિવસના અવસર પર અજિત પવારનું વ્યંગ ચિત્ર દોર્યું.

એનસીપી પ્રમુખ શરદ પવારે પાર્ટી અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાની જાહેરાત કર્યા બાદ પાર્ટીના નેતાઓ અને કાર્યકરો ભાવુક જોવા મળ્યા હતા. જોકે અજિત પવારનો સૂર અલગ હતો. અજિત પવાર શરદ પવારના નિર્ણય સાથે સહમત જોવા મળ્યા હતા. શરદ પવારની જાહેરાત બાદ આક્રમક બનેલા NCPના તમામ કાર્યકરોને અજિત પવાર ચૂપ કરાવી રહ્યા હતા. અજિત દાદાએ ‘એ તુ ચૂપ બસ, એ તુ ખાલી બસ’ કહીને એક પછી એક બધા કાર્યકરોને શાંત કર્યા. અજિત પવારની ભૂમિકાએ લોકોને ચોંકાવ્યા. ત્યારથી રાજકીય વર્તુળોમાં અજિત પવારના પગલાંની ચર્ચા થઈ હતી. જે બાદ આજે MNS પ્રમુખ રાજ ઠાકરેએ પોતાના કાર્ટૂન દ્વારા અજિત પવાર પર નિશાન સાધ્યું હતું.

આ સમાચાર પણ વાંચો :  મધ્ય રેલવે કોંકણ વિભાગ માટે બે પાંચ નહીં પણ આટલી બધી સમર સ્પેશિયલ ટ્રેનો દોડાવશે..

Maharashtra Weather Update મહારાષ્ટ્રમાં આગામી ૪૮ કલાક ભારે! હવામાન વિભાગ દ્વારા હાઇ એલર્ટ જાહેર, અનેક જિલ્લાઓમાં મુસળધાર વરસાદની આગાહી
Nashik Double Murder Suicide Attempt કૌટુંબિક વિવાદમાં પતિ બની ગયો રાક્ષસ, નાસિકમાં માદીકરાની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ..
MP Assembly Passes UCC Bill ઉત્તરાખંડ બાદ હવે મધ્યપ્રદેશમાં પણ UCC લાગુ વિપક્ષના ભારે હંગામા વચ્ચે મોહન યાદવ સરકારે પાસ કર્યું મોટું બિલ
Raj Thackeray Slams Modi Govt દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે રાજ ઠાકરે લાલચોળ PM મોદી અને BJP સરકાર પર સાધ્યું નિશાન
Exit mobile version