Site icon News Continuous Bureau | Mumbai

નાશિકમાં મનસે સાથે કોણે લીધો પંગો?

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 24 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

 મહારાષ્ટ્રમાં આગામી સમયમાં જુદી જુદી મહાનગરપાલિકાની ચૂંટણી થવાની છે. એવા સમયે મનસે અધ્યક્ષ રાજ ઠાકરે ફરી સક્રિય થઈ ગયા છે. બુધવારથી તેઓ પોતાના પુત્ર અમિત ઠાકરે સાથે નાશિકની બે દિવસની મુલાકાતે ગયા છે. તેથી નાશિકમાં તેમના સ્વાગત માટે મનસે દ્વારા ઠેર ઠેર બૅનર અને હૉર્ડિંગ્સ લગાડવામાં આવ્યાં હતાં. જોકે સ્થાનિક પ્રશાસને એને ઉતારી નાખ્યાં છે. એની સામે મનસે નેતાઓએ ભારે નારાજગી વ્યક્ત કરી છે. રસ્તા પરથી હૉર્ડિંગ્સ હટાવી દેશો , પણ નાશિકકરોનાં દિલમાંથી રાજ ઠાકરે અને મનસેને કેવી રીતે કાઢશો? એવા સવાલ કરીને મનસેના કાર્યકર્તાઓએ નારાજગી વ્યક્ત કરી છે.

મહાવિકાસ આઘાડી સરકારના આ નેતાઓને ગળે હવે સકંજો : નેતાઓના નજીકના ગણાતા બિલ્ડર મિત્રો પર આઇટીનો છાપો; જાણો વિગત

અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈ, નાશિકની સાથે રાજ્યની ૧૮ મહાનગરપાલિાની ચૂંટણી ફેબ્રુઆરી ૨૦૨૨ના યોજાઈ રહી છે. એથી રાજ ઠાકરે મુંબઈ, થાણે, પુણે બાદ હવે નાશિકમાં સક્રિય થયા છે. જુલાઈ મહિનાથી તેમણે નાશિકમાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે એક સમયે નાશિક મનસેનો ગઢ હતો. હવે ફરી એક વખત નાશિકને કબજે કરવા રાજ ઠાકરે પોતાના પુત્ર અમિત સાથે નાશિક પોતાની તમામ તાકાત લગાવી રહ્યા છે.

Maharashtra Politics: શિવસેનામાં ‘આદિત્ય’ યુગની તૈયારી! ઉદ્ધવ ઠાકરે સોંપી શકે છે મોટી જવાબદારી, રાજકીય સમીકરણો બદલાશે
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version