Site icon

બીજાને પાનવાળો-રીક્ષાવાળો કહેનાર સંજય રાઉતનો પોતાનો ભુતકાળ શું હતો તમને ખબર છે- મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ ભૂતકાળ ફંફોસ્યો

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રના રાજકારણમાં(Maharashtra politics) સત્તા પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે. શિવસેનાના(Shivsena) નેતા એકનાથ શિંદેએ(Eknath Shinde) પક્ષ સામેના બળવાએ રાજકીય ગતિવિધિઓને વેગ આપ્યો છે. શિવસેનાના અને પક્ષ સામે બળવો કરનારા  નેતાઓ સામ-સામે આક્ષેપો કરી રહ્યા છે, એમાં હવે MNS આ વિવાદમાં કૂદી પડી છે. MNS નેતા સંદિપ દેશપાંડે(Sandeep Deshpande) શિવસેના પર સતત નિશાન સાધી રહ્યા છે, ખાસ કરીને સંદીપ દેશપાંડેએ શિવસેનાના સાંસદ અને પ્રવક્તા સંજય રાઉતને(Sanjay Raut) આડે હાથ લઈને તેમનો ભૂતકાળ ફંફોસી કાઢ્યો છે.

Join Our WhatsApp Community

છેલ્લા કેટલાક દિવસોમાં સંજય રાઉતે બળવાખોર એકનાથ શિંદે સહિત તેમની સાથે જોડાયેલા ધારાસભ્યોની ટીકા કરી રહ્યા છે. બળવાખોર ગુલાબરાવ પાટીલ(Gulabrao Patil) એક સમયે પાનની દુકાન પર બેસતા હતા, હવે તેઓ કેબિનેટ મંત્રી(Cabinet minister) બની ગયા છે. સંજય રાઉતે તેમની ટીકા કરતા કહ્યું હતું કે તેઓ ફરીથી હવે પાનની ટપરી પર બેસી જવાના છે. આના પર MNSએ ટ્વીટ કરીને રાઉતની કારકિર્દી પર ટિપ્પણી કરી છે. એટલું જ નહીં મનસેએ રાઉતને તેમનો ઇતિહાસ પણ યાદ કરાવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : આદિત્ય ઠાકરેના ખાસમ-ખાસ ગણાતા એવા આ નેતાને શિવસેના પાર્ટીએ સસ્પેન્ડ કરી દીધો-જાણો વિગતે

MNS નેતા સંદીપ દેશપાંડેએ મંગળવારે ટ્વિટ કર્યું. તેમાં તેમણે કહ્યું હતું કે જે લોકો બીજાને રિક્ષાચાલક, પાન ટપરી, શાકભાજી વેચનાર, ચોકીદાર કહે છે, તેમણે એ ન ભૂલવું જોઈએ કે તેઓ પોતે લોકપ્રભાતમાં(Lokprabhat) કારકુન(Clerk) હતા. રાજ ઠાકરેએ(Raj Thackeray) તમને ત્યાંથી ઉપાડીને 'સામના'ના તંત્રી બનાવ્યા છે.

વિધાન પરિષદના(Legislative Council) પરિણામો બાદ રાજ્યનું રાજકારણ અલગ સ્તરે પહોંચી ગયું છે. આ દરમિયાન રાઉતે અનેક નિવેદનો આપ્યા હતા. વિપક્ષી નેતાઓએ પણ તેમના નિવેદનની ટીકા કરી હતી. તેવી જ રીતે હવે MNSએ પણ રાઉત પર જોરદાર હુમલો કર્યો છે. 
 

Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Malegaon Municipal Corporation Namaz Case: માલેગાંવ મહાનગરપાલિકામાં હંગામો: નમાજ પઢવાના વિરોધમાં મહંત અનિકેતશાસ્ત્રી મેદાનમાં; સરકારી પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ મુદ્દે ઉઠ્યા સવાલો
Rohit Pawar Ajit Pawar Case Update: મુંબઈમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા! રોહિત પવાર પોલીસ સ્ટેશનમાં ધરણા પર બેઠા; અજીત પવાર વિરુદ્ધ FIR માટે CMO સુધી પહોંચી વાત
Exit mobile version