મોરબી હોનારત- દુર્ઘટના બાદ પોલીસ એક્શનમાં- આટલા લોકોની કરી ધરપકડ

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ગુજરાતના(Gujarat) મોરબી જિલ્લામાં(Morbi District), મચ્છુ નદી પરનો 143 વર્ષ જૂનો પુલ(old bridge) રવિવારે તૂટી પડતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 141 લોકોના મોત નિપજ્યા હોવાના અહેવાલ છે. આશંકા છે કે મૃત્યુ આંક(death toll) હજુ વધી શકે છે. તે જ સમયે, મીડિયા રિપોર્ટ મુજબ આ ઘટના અંગે કાર્યવાહી કરીને, વહીવટીતંત્રે(Administration) બે કોન્ટ્રાક્ટર સહિત ઓરેવા કંપનીના 9 લોકોની ધરપકડ કરી છે. ઓરેવાના કપંનીના મેનેજર, 2 ટિકિટ ક્લાર્ક, 3 સિક્યુરિટી ગાર્ડ અને 2 રિપેરિંગ કોન્ટ્રાક્ટરનો સમાવેશ થાય છે.  

આ સમાચાર પણ વાંચો : દુઃખદ – મોરબી કરુણાંતિકામાં આ ભાજપ સાંસદના એક બે નહીં પણ પરિવારના 12 સભ્યોના નિપજ્યા મોત

મહત્વનું છે કે આ 9 આરોપીઓને પકડવા માટે ગુજરાત ATS, રાજ્ય ગુપ્તચર વિભાગ(State Intelligence Department) અને મોરબી પોલીસે(Morbi Police) અનેક જગ્યાએ દરોડા પાડ્યા હતા. દરોડા બાદ તેઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે આ તમામ આરોપીઓની કલમ 304, કલમ 114, કલમ 308 હેઠળ અટકાયત કરવામાં આવી હતી..

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More