Site icon

મોરબી હોનારત- દુર્ઘટના બાદ પોલીસ એક્શનમાં- આટલા લોકોની કરી ધરપકડ

News Continuous Bureau | Mumbai

ગુજરાતના(Gujarat) મોરબી જિલ્લામાં(Morbi District), મચ્છુ નદી પરનો 143 વર્ષ જૂનો પુલ(old bridge) રવિવારે તૂટી પડતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 141 લોકોના મોત નિપજ્યા હોવાના અહેવાલ છે. આશંકા છે કે મૃત્યુ આંક(death toll) હજુ વધી શકે છે. તે જ સમયે, મીડિયા રિપોર્ટ મુજબ આ ઘટના અંગે કાર્યવાહી કરીને, વહીવટીતંત્રે(Administration) બે કોન્ટ્રાક્ટર સહિત ઓરેવા કંપનીના 9 લોકોની ધરપકડ કરી છે. ઓરેવાના કપંનીના મેનેજર, 2 ટિકિટ ક્લાર્ક, 3 સિક્યુરિટી ગાર્ડ અને 2 રિપેરિંગ કોન્ટ્રાક્ટરનો સમાવેશ થાય છે.  

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : દુઃખદ – મોરબી કરુણાંતિકામાં આ ભાજપ સાંસદના એક બે નહીં પણ પરિવારના 12 સભ્યોના નિપજ્યા મોત

મહત્વનું છે કે આ 9 આરોપીઓને પકડવા માટે ગુજરાત ATS, રાજ્ય ગુપ્તચર વિભાગ(State Intelligence Department) અને મોરબી પોલીસે(Morbi Police) અનેક જગ્યાએ દરોડા પાડ્યા હતા. દરોડા બાદ તેઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે આ તમામ આરોપીઓની કલમ 304, કલમ 114, કલમ 308 હેઠળ અટકાયત કરવામાં આવી હતી..

Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Malegaon Municipal Corporation Namaz Case: માલેગાંવ મહાનગરપાલિકામાં હંગામો: નમાજ પઢવાના વિરોધમાં મહંત અનિકેતશાસ્ત્રી મેદાનમાં; સરકારી પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ મુદ્દે ઉઠ્યા સવાલો
Exit mobile version