News Continuous Bureau| Mumbai.
મોટાભાગના ધારાસભ્યો(MLAsz) મુંબઈ(Mumbai) છોડીને ગુવાહાટી (Guvahati) તરફ રવાના થઇ ગયા છે ત્યારે હવે અમુક સાંસદ સભ્યો(Parliament member) પણ ઉદ્ધવ ઠાકરે સાથે છેડો ફાડવા ની તૈયારી કરી રહ્યા છે. એવું દેખાઈ રહ્યું છે કે અમુક સાંસદો હવે ખુલ્લી રીતે એકનાથ શિંદે(Eknath Shinde) નું સમર્થન કરી રહ્યા છે. શિવસેના(Shivsena)ની સાંસદ ભાવના ગવળી(Bhavna Gawli)એ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)ને પત્ર લખ્યો છે કે નારાજ એકનાથ શિંદેને મનાવી લેવા જરૂરી છે. આ માટે શિવસૈનિકો(Shivsainik)ની હિન્દુ વિચારધારા ધરાવતી પાર્ટી સાથે ગઠબંધન કરવું જરૂરી છે. અને આથી ઉદ્ધવ ઠાકરે એકનાથ શિંદે ની માગણી માની લે તેવું થવું જોઈએ. જોકે ભાવના ગવળી અત્યારે મહારાષ્ટ્રમાં જ છે અને ગુવાહાટી ગઈ નથી.
