Site icon

મહારાષ્ટ્રના આ નેતાએ આપ્યું આ નિવેદન, કહ્યું : નકસલીઓ, અમે તમારી રાહ જોઈ રહ્યા છીએ, જાણો શું છે સમગ્ર મામલો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૪ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

સોમવાર

સાંસદ સંભાજી રાજે છત્રપતિએ નક્સલવાદીઓને અપીલ કરી છે કે " નકસલીઓ, અમે તમારી રાહ જોઈ રહ્યા છીએ. ચાલો, મુખ્ય પ્રવાહમાં જોડાઈ જાઓ. હિન્દુસ્તાને લોકશાહી પદ્ધતિ અપનાવી છે.'' તેમણે કહ્યું હતું કે "મેં વાંચ્યું છે કે નક્સલવાદી સંગઠનો છત્રપતિ શિવાજી મહારાજના સ્વરાજ્યની સાક્ષી આપીને મરાઠા સમુદાયને ફસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ઉદયન રાજેએ તેમને મરાઠા સમુદાયના સભ્ય અથવા હિંદુ સ્વરાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજના વંશજ તરીકે અપીલ કરી છે. નક્સલો આવો, અમે તમારી રાહ જોઈ રહ્યા છીએ. ચાલો, મુખ્ય પ્રવાહમાં જોડાઈ જાઓ. હિંદુસ્તાને લોકશાહી પદ્ધતિ અપનાવી છે, એમ સાંસદ સંભાજી રાજે છત્રપતિએ સોશિયલ મીડિયા પર નક્સલીઓને હાકલ કરતાં જણાવ્યું હતું.

રામ મંદિર અંગે નવો વિવાદ; નવી જમીન ખરીદી અંગે વિપક્ષે લગાવ્યો ભ્રષ્ટાચારનો આરોપ, જાણો વિગત

છત્રપતિ શિવાજી મહારાજના શાસનને નજીકથી જોતાં જણાય છે કે તેમણે અષ્ટ પ્રધાનમંડળની સ્થાપના કરીને લોકશાહીનાં બીજ વાવ્યાં હતાં. તેમના નવમા વંશજ રાજર્ષિ છત્રપતિ શાહુ મહારાજને ડૉ. બાબાસાહેબ આંબેડકરે 'લોકશાહીના આધારસ્તંભ' તરીકે સંબોધન કર્યું હતું. હું તેમનું લોહી અને વૈચારિક વારસ તરીકે ડૉ. બાબાસાહેબ આંબેડકરે વર્ષો સુધી આ દેશના નાગરિકોની સંસ્કૃતિને અનુસરીને ભારતમાં લોકશાહી રાજ્ય વ્યવસ્થા સ્થાપિત કરી. તમે પણ આનો ભાગ બનો આવી અપીલ સંભાજી રાજેએ નક્સલીઓને કરી હતી.

Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
Exit mobile version