Site icon News Continuous Bureau | Mumbai

શું ખરેખર ગાય, ગોબર અને ગૌમૂત્ર દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરી શકે? ભાજપ શાસિત આ રાજ્યના CMએ કર્યો દાવો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 15 નવેમ્બર, 2021

Join Our WhatsApp Channel

સોમવાર

કેન્દ્ર સરકાર ગાય સંરક્ષણ માટે કડક પગલાં લઈ રહી છે. આ દરમિયાન મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ગાયને લઈને મોટું નિવેદન આપ્યું છે. ગાયનું છાણ અને મૂત્ર રાજ્ય અને દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે.

શનિવારે ભોપાલમાં ઈન્ડિયન વેટરનરી એસોસિએશનની મહિલા પાંખના સંમેલનને સંબોધિત કરતી વખતે સીએમ શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું હતું કે અમે રાજ્યમાં પશુ ઉત્પાદનોના વધુ સારા ઉપયોગ માટે જાગરૂકતા લાવવા સતત પ્રયાસો કરી રહ્યા છીએ. દૂધ ઉપરાંત ગાયના છાણ, ગૌમુત્ર વગેરેમાંથી પણ ઘણી વસ્તુઓ બનાવવામાં આવે છે. જો આપણે ઈચ્છીએ તો આ પ્રવૃત્તિઓથી આપણી અર્થવ્યવસ્થાને મજબૂત બનાવી શકીએ છીએ અને દેશને આર્થિક રીતે સમૃદ્ધ પણ બનાવી શકીએ છીએ. 

ત્રિપુરા હિંસાચારના પડધાઃ મહારાષ્ટ્ર હજી અશાંત. મુંબઈના આ વિસ્તારોમાં પોલીસ માર્ચ; જાણો વિગત

શિવરાજ સિંહ ચૌહાણે વધુમાં ઉમેર્યું હતું કે “મધ્યપ્રદેશમાં સ્મશાન ઘાટ પર ઓછામાં ઓછા લાકડા સળગાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગાયના છાણમાંથી બનેલા ગાય-લાકડાનો ઉપયોગ વધ્યો છે. જેના કારણે ગૌશાળાઓ પણ સ્વનિર્ભર બની રહી છે. ગાયના છાણ ખરીદીને ખાતર અને અન્ય વસ્તુઓ બનાવવાની દિશામાં પણ કામ ચાલી રહ્યું છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, નાના ખેડૂતો અને પશુપાલકો માટે ગાય ઉછેરને નફાકારક વ્યવસાય કેવી રીતે બનાવી શકાય તે અંગે પશુ ચિકિત્સકો અને નિષ્ણાતોએ ઉત્પાદક કામગીરી કરવી જોઈએ. 

Bihar Politicsબિહારના રાજકારણમાં મોટો ભૂકંપ લાલુરાબડી બાદ હવે તેજસ્વી યાદવે પણ સરકારી સુરક્ષા પરત કરી, આરજેડી આરપારના મૂડમાં
NEET Re Exam 2026| મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય! રીએક્ઝામ આપતા વિદ્યાર્થીઓ માટે CM ફડણવીસે કરી આ ખાસ વ્યવસ્થા
Maharashtra Salon Hike।સામાન્ય જનતાને વધુ એક ઝટકો! હવે વાળ કપાવવા અને દાઢી કરાવવી પણ થશે મોંઘી; જાણી લો ક્યારથી ખિસ્સા પર વધશે બોજ
Morbi Highway Accident। ગુજારાતના મોરબીમાં ભયાનક અકસ્માત પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે કારને કચડી, એક જ ગામના ૫ આશાસ્પદ યુવકોના કમકમાટીભર્યા મોત
Exit mobile version