Site icon News Continuous Bureau | Mumbai

MP Shrikant Shinde: મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદેને આ વર્ષે સંસદ રત્ન એવોર્ડથી કરવામાં આવ્યો સન્માનિત!

MP Shrikant Shinde: પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામ દ્વારા આપવામાં આવેલી સલાહ મુજબ આ સંસદ રત્ન એવોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. સંસદ રત્ન એવોર્ડ એવા સાંસદોને આપવામાં આવે છે જેમણે લોકસભામાં ઉત્કૃષ્ટ કામગીરી કરી હોય. આ સન્માન એવા સાંસદોને આપવામાં આવે છે જેઓ જાહેર મુદ્દા ઉઠાવવામાં સક્રિયપણે ભાગ લે છે.

MP Shrikant Shinde Maharashtra CM Eknath Shinde's son Shrikant Shinde honored with Parliament Ratna Award this year!

MP Shrikant Shinde Maharashtra CM Eknath Shinde's son Shrikant Shinde honored with Parliament Ratna Award this year!

News Continuous Bureau | Mumbai

MP Shrikant Shinde: કલ્યાણ મતવિસ્તારના શિવસેનાના સભ્ય અને મુખ્યમંત્રી એકનાથ શિંદેના ( Eknath shinde ) પુત્ર સાંસદ શ્રીકાંત શિંદેને તાજેતરમાં 14મા સંસદ રત્ન પુરસ્કારથી ( Sansad Ratna Award ) સન્માનિત કરવામાં આવ્યા છે. શ્રીકાંત શિંદેને 17મી લોકસભામાં ( Loksabha ) તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ તેલંગાણાના રાજ્યપાલ તમિલિસાઈ સૌંદરરાજન દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શ્રીકાંત શિંદે સહિત રાજ્યના અન્ય સાંસદોનું ( MPs ) પણ સન્માન કરવામાં આવ્યું હતું. દરમિયાન શ્રીકાંત શિંદેને ગર્વ છે કે આ સન્માન શિવસૈનિકોનું છે. 

Join Our WhatsApp Channel

ચેન્નાઈ સ્થિત પ્રાઇમ પોઈન્ટ ફાઉન્ડેશન અને ઈ મેગેઝિન દ્વારા તાજેતરમાં સંસદ રત્ન એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ શનિવારે નવી દિલ્હીમાં મહારાષ્ટ્ર સદનમાં (  Maharashtra Assembly ) તેલંગાણાના રાજ્યપાલ તમિલસાઈ સૌંદરરોજન અને કેન્દ્રીય પછાત વર્ગ આયોગના હંસરાજ આહીર દ્વારા એવોર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ સંજય કિશન કૌલ, ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા, સંસદ રત્ન પુરસ્કાર સમિતિના પ્રિયદર્શિની રાહુલ, કે. શ્રીનિવાસન અને અન્યો ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામ દ્વારા આપવામાં આવેલી સલાહ મુજબ આ સંસદ રત્ન એવોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. સંસદ રત્ન એવોર્ડ એવા સાંસદોને આપવામાં આવે છે જેમણે લોકસભામાં ઉત્કૃષ્ટ કામગીરી કરી હોય. આ સન્માન એવા સાંસદોને આપવામાં આવે છે જેઓ જાહેર મુદ્દા ઉઠાવવામાં સક્રિયપણે ભાગ લે છે.

આ એવોર્ડ મહારાષ્ટ્રના લોકો અને મારામાં વિશ્વાસ રાખનારા સામાન્ય શિવસૈનિકોનું સન્માન કરશે: શ્રીકાંત શિંદે..

શ્રીકાંત શિંદેને સંસદમાં તેમના કામ માટે આ વર્ષે આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 2019-23ના સમયગાળા દરમિયાન, શ્રીકાંત શિંદેએ લોકસભામાં 556 પ્રશ્નો પૂછ્યા અને 67 ચર્ચાઓમાં ભાગ લીધો હતો. આ સિવાય તેઓએ 12 પ્રાઈવેટ મેમ્બરના બિલો આગળ લાવ્યા છે. તેમની કામગીરીને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલની અધ્યક્ષતાવાળી સમિતિએ શિંદેને આ એવોર્ડ માટે પસંદ કર્યા હતા.

આ સમાચાર પણ વાંચો :  Eknath Shinde: ઠાકરે જૂથના સીએમ શિંદે પર 50 કરોડ રુપિયા ધારાસભ્યોને આપવાના આરોપ બાદ હવે શિંદેએ આપ્યો આ સણસણતો જવાબ કહ્યું..

આ પુરસ્કાર અર્પણ કરતી વખતે તેલંગાણાના રાજ્યમલ તમિલસાઈ સૌદનરરાજને કહ્યું, ‘જ્યારે મને આ કાર્યક્રમ માટે આમંત્રણ મળ્યું ત્યારે મેં વિચાર્યું કે બધા સાંસદોમાં મારું કામ શું છે? હું માત્ર એક શક્તિશાળી વ્યક્તિ તરીકે અહીં આવ્યો નથી, પરંતુ મારી પાસે જે મત આપવાનો શક્તિશાળી અધિકાર છે. તેના આધારે હું આજે આ કાર્યક્રમમાં હાજરી આપી રહ્યો છું. આ સાંસદનો બીજો મોટો પુરસ્કાર છે, કારણ કે તેમના લોકોએ તેમને પહેલેથી જ ચૂંટી જીતાડીને એવોર્ડ તો પહેલા જ આપી દીધો છે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ ખુશ છે કે રાજ્યપાલે મહિલા અનામત બિલ પાસ કર્યું છે. વધુમાં, તેમણે જણાવ્યું કે વધુ જાગૃતિ લાવી મતદાનની ટકાવારી વધારવી એ તેમનું કામ છે.

તો શ્રીકાંત શિંદેએ કાર્યક્રમમાં સંબોધન કરતા કહ્યું હતું કે, કલ્યાણ લોકસભામાં તમામ લોકોનો વિશ્વાસ આજે સાકાર થયો છે. આ એવોર્ડ મહારાષ્ટ્રના લોકો અને મારામાં વિશ્વાસ રાખનારા સામાન્ય શિવસૈનિકોનું સન્માન કરશે. આ એવોર્ડને કારણે અમારી જવાબદારી વધુ વધી છે અને જનતાના વિશ્વાસ, પ્રેમ અને લાગણીના કારણે જ અમે આ સ્થાન સુધી પહોંચી શક્યા છીએ. આ અવસરે સાંસદ શ્રીકાંત શિંદેએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે આ એવોર્ડના કારણે તેઓ ભવિષ્યમાં મહારાષ્ટ્રની જનતાની વધુ જોરશોરથી સેવા કરશે.

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version