Site icon

સીએમ શિંદેએ વિપક્ષને આપ્યો વધુ એક ઝટકો- એનસીપી સુપ્રીમો શરદ પવારના નિવાસ્થાન સિલ્વર ઓક હુમલા કેસમાં સસ્પેન્ડ કરાયેલા 118 એસટી કર્મચારીઓને લઈને લીધો આ મોટો નિર્ણય

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર(Maharashtra)ના એસટી કર્મચારી(ST Employee)ઓ મર્જર અને પગાર વધારાની માંગ સાથે હડતાળ પર ઉતર્યા હતા. લગભગ છ મહિનાથી આ હડતાળ ચાલી રહી હતી. રાજ્યની પૂર્વ મહાવિકાસ આઘાડી સરકાર (MVA Govt) દ્વારા માંગણીઓ સ્વીકારવામાં ન આવતાં હડતાળ(strike) પર ઉતરેલા એસટી કર્મચારીઓએ મુંબઈ(Mumbai)માં એનસીપી પ્રમુખ શરદ પવારના (NCP Chief Sharad Pawar) સિલ્વર ઓક (Silver Oak) નિવાસસ્થાન પર એસટીના સેંકડો કર્મચારીઓએ આંદોલન કર્યું હતું. આંદોલનકર્તાએ જોરદાર ઘોષણાબાજી કરી ચપ્પલ ફેંકીને પથ્થરમારો કરતા પરિસ્થિતિ તનાવપૂર્ણ બની ગઇ હતી. અચાનક બનેલી આ ઘટનાથી રાજકીય વર્તુળમાં સારી એવી અસર પડી હતી. આ ઘટના બાદ તત્કાલિન વાહનવ્યવહાર મંત્રી અનિલ પરબે(Anil Parab) 118 આંદોલનકારી એસટી કર્મચારીઓને છૂટા કરવાનો આદેશ આપ્યો હતો.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  કુર્લાની બહુમાળી બિલ્ડિંગમાં ફાટી નીકળી ભીષણ આગ- કેટલાય લોકો ફસાયા- દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા- જુઓ વિડીયો 

શિંદે-ફડણવીસ સરકારે(Shinde Fadnavis Govt) આ કામદારોને રાહત આપી છે. રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદે(CM Eknath Shinde) એ આ કર્મચારીઓને ફરીથી નોકરીમાં લેવાના આદેશ આપ્યા છે. જેથી આ તમામ 118 કર્મચારીઓ ફરી સેવામાં જોડાવા જઈ રહ્યા છે. આ નિર્ણય બાદ કર્મચારીઓએ એસટી હેડક્વાર્ટરમાં ઉજવણી કરી હતી. 

Maharashtra: મહારાષ્ટ્રના વાતાવરણમાં મોટો ફેરફાર: આજે દિવસભર કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી.
Baramati ZP Election 2026: સુનેત્રા પવારે જાળવી અજિત દાદાની પરંપરા: બારામતી જિલ્લા પરિષદની ચૂંટણી માટે વહેલી સવારે કર્યું મતદાન.
Solapur Suicide Case: વિખ્યાત વેપારી સુનીલ સદારંગાનીની આત્મહત્યા, 17મા માળેથી કૂદતા પહેલા ગળગળા થઈ કરી પ્રાર્થના.
Parth Pawar Case: પવાર પરિવાર માટે ચિંતાના સમાચાર! પાર્થ પવારને મુંઢવા કેસમાં નથી મળી રાહત, જાણો શું છે જમીન કૌભાંડનો સમગ્ર વિવાદ.
Exit mobile version