Site icon

 મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ ‘ફરાર’ જાહેર, હવે આટલા દિવસમાં થવું પડશે હાજર; કોર્ટે ક્રાઈમ બ્રાન્ચની આ અરજી મંજૂર કરી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 17 નવેમ્બર 2021.

Join Our WhatsApp Community

બુધવાર.

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહની મુશ્કેલીમાં વધારો થયો છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહને મુંબઈની કિલા કોર્ટે ફરાર જાહેર કર્યા છે. 

સાથે જ પરમબીર સિંહને 30 દિવસમાં હાજર થવાનું અલ્ટીમેટમ પણ આપવામાં આવ્યું છે. 

જો તે સમયસર હાજર નહીં થાય તો તેમની સંપત્તિ જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે મુંબઈના ગોરેગાંવમાં રિકવરી કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેમને ઘણી વખત સમન્સ મોકલવામાં આવ્યા હતા, પરંતુ તેઓ પૂછપરછ અને તપાસ માટે હાજર રહ્યા ન હતા.

વારંવારના સમન્સ પછી પણ પરમબીર સિંહ હાજર ન રહેતાં ક્રાઈમ બ્રાન્ચે તેને ફરાર જાહેર કરવા એડિશનલ ચીફ મેજિસ્ટ્રેટ જનરલ કોર્ટમાં અપીલ કરી હતી. કોર્ટે આ અપીલને મંજૂરી આપી હતી.

ICCમાં પણ 'દાદા'નો દબદબો, સૌરવ ગાંગુલીને મળ્યું આ મોટું પદ;જાણો વિગતે

Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
Exit mobile version