Site icon

મુંબઈના દહિસરમાં બેસ્ટનો બસ ડેપો બન્યું હોસ્પીટલ.. જાણો આખી વાત…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

17 જુલાઈ 2020

બીએમસી દ્વારા કંડારપાડા ડેપોમાં 200 બેડનું સંપૂર્ણ વાતાનુકુલિત કોવિડ-19 કેર સેન્ટર બનાવવામાં આવ્યું છે અને બીજું એક દહિસર બસ સ્ટેશનમાં બનાવવામાં આવ્યું છે. "બીએમસી શહેરના નાગરિકોને લગતી જરૂરિયાતોને આધારે કાયમ નિર્ણય લે છે, અને જો ત્યાં જગ્યા ખાલી હોય તો શહેર માટે જે જરૂરી છે તે પૂરું પાડવા માટે બેસ્ટ હંમેશાં હાજર રહે છે", એમ બેસ્ટના એક અધિકારીએ જણાવ્યું હતું.

શહેરની જીવાદોરી ગણાતી લોકલ ટ્રેન બંધ હતી ત્યારથી લોકકડાઉનનાં પ્રથમ દિવસથી જ બેસ્ટ વર્કર્સ અથાક મહેનત કરી રહ્યા છે. આવશ્યક સેવાના કાર્યકરો માટે ફેરી કરવા માટે બસો ચલાવીને જીવલેણ વાયરસ સામે શહેરની લડાઇમાં પોતાનો ફાળો આપવાથી લઈને આજે ડેપોને ક્વોરૅન્ટીન સેન્ટરમાં ફેરવવા સુધીનું કાર્ય ચાલુ જ છે.

હાલ બેસ્ટ હસ્તક 27 બસ ડેપો, 51 બસ સ્ટેશન અને 112 બસ ટર્મિનલ છે. દહિસરનું, સંપૂર્ણ વાતાનુકૂલિત છે અને તેમાં 200 પલંગ છે. જૂનમાં રાજ્ય સરકારે પોતાનો 'મિશન બીગન અગેન' કાર્યક્રમ શરૂ કર્યો હોવાથી, બેસ્ટ દ્વારા આવશ્યક સેવાઓ માટે મુસાફરી કરતા કામદારોની સગવડ માટે શહેરના 82 રૂટ પર હાલ 2132 બસો દોડી રહી છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2DRyEK8  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com    

UshaUpadhyay: ‘ઝરૂખો’માં વરિષ્ઠ કવયિત્રી વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ
Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
Exit mobile version