330
Join Our WhatsApp Channel
અંગારકી સંકષ્ટી ચતુર્થી નિમિત્તે બીજી માર્ચે સિદ્ધિવિનાયક મંદિરમાં રૂબરૂ દર્શન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોરોનાના વધતા જતા દરદીઓને કારણે ફરી ઊભી થયેલી ચિંતાજનક સ્થિતિને ધ્યાનમાં લઈ આ વખતે ભક્તજનો સિદ્ધિવિનાયકના ઓનલાઇન દર્શનનો જ લાભ લઈ શકશે.
આ જાણકારી શ્રી સિદ્ધિવિનાયક મંદિર ન્યાસ તરફથી આપવામાં આવી છે.
સામાન્ય રીતે અંગારકીને દિવસે સિદ્ધિવિનાયક મંદિરમાં હજારો ભક્તોનો ધસારો થતો હોય છે પરંતુ કોરોનાની સ્થિતિ ધ્યાનમાં લઈ ભીડ ન કરવાના નિયમનું ઉલ્લંધન ન થાય માટે આ નિર્ણય લેવાયો છે.
You Might Be Interested In
